સંયુક્ત કિસાન મોરચાના નેતા અને દિલ્હીમાં કાર્યરત કૃષિ કાયદાના વિરોધનું આંદોલનનો પ્રમુખ ચહેરો રાકેશ ટિકૈત બારડોલીમાં સભા કરવા જઈ રહ્યા છે. જેને લઈને નવસારી જિલ્લાની કોંગ્રેસી વિચારધારા ધરાવતા ખેડૂતો તથા સેવા દળના આગેવાનો બારડોલી ન જઈ શકે તે માટે તેમને ઘરે નજર કૈદ કરવામાં આવ્યા છે. ગણદેવી વિસ્તારમાંથી મોટી સખ્યામાં આગેવાનોને જવાનો પ્લાન હતો પણ પોલીસે એડવાન્સ પ્લાનિંગ કરીને તમામને નજર કૈદ કર્યા છે. આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસની કામગરીને વખોડી છે અને સરકારની આ નીતિ ગેરબંધારણીય ગણાવી છે. તમામ કિસાન મોરચાના આગેવાનોને ડિટેન કરતા તેમણે રાજ્ય સરકારની દમનશાહી નીતિનો વિરોધ કર્યો હતો.
Related Articles
ગુજરાતની સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી
આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી અંજુ શર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં કાર્યરત નિરમા […]
નિલય જરીવાળાનું શ્રીનાથજીના ડેકોરેશન સાથે શ્રીજીનું સ્થાપન
સુરતના સોનીફળિયા નગરશેઠની પોળ ખાતે રહેતાં નિલય જરીવાળાએ બેકગ્રાઉન્ડમાં રાજસ્થાનના પ્રખ્યાત શ્રીનાથજી મંદિરનું ડેકોરેશન ઉભું કર્યું છે. તેમના શ્રીજીને વધારેમાં વધારે લાઇક કરીને તેમનો ઉત્સાહમાં વધારો કરો.નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં જોડાવવા માટે મંડળ-વ્યક્તિનું નામ સરનામું અને ગણપતિનો ફોટો અને થીમ 9313226223 પર વોટ્સએપ કરો
નવસારીના વિરાવળમાંથી કૂટણખાનું ઝડપાયું
મોટા શહેરોમાં ચાલતી કૂટણખાનાની બદી નાના શહેરો બાદ હવે જુદા જુદા ટાઉનમાં પણ પહોંચી ગઇ છે. આવુ જ એક કૂટણખાનું નવસારીમાંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગૃપે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને બે જણાને ઝડપી લીધા હતા. આ ગોરખધંધામાં સંડોવાયેલા અને નવસારીના વિરાવળ માં કૂટણખાનું ચલાવતા એક ગ્રાહક અને એક દલાલને […]