ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (આઈએમએ) ગુરુવારે યોગ ગુરુ રામદેવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલોપેથી પર તેમની ‘અયોગ્ય અને ખોટી રજૂઆત’ અંગે એફઆઇઆર નોંધાવાની માંગ કરવામાં આવી હતી. આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં મુખ્ય મેડિકલ સંસ્થાએ જણાવ્યું છે કે, બાબા રામદેવે કોરોના દર્દીઓની સારવાર માટે સ્થાપિત અને માન્ય પદ્ધતિઓ અને દવાઓ અંગે ઇરાદાપૂર્વક અને જાણી જોઈને ખોટી અને પાયાવિહોણી માહિતી ફેલાવી હતી.દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી છે અને આ અંગે તપાસ ચાલી રહી છે. 9મી મેના રોજ આઇએમએની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સ્વામી રામદેવે કોરોનાની પરિસ્થિતિનો લાભ લેવા માટેના ઉદ્દેશ્યના હેતુ જાહેર પ્લેટફોર્મ પર એલોપેથીક દવાઓ અને અન્ય સંલગ્ન કોરોના વાયરસ માટે આધુનિક વિજ્ઞાનની સારવાર તકનીકોના સંદર્ભમાં અપ્રમાણિક અને ખોટી રજૂઆતો કરી હતી.તેમણે જણાવ્યું કે, આ વીડિયો તમામ સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો હતો. આઇએમએએ આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી હતી કે, યોગ ગુરુ રામદેવને રસીકરણ અભિયાન અંગેના કથિત ખોટી માહિતી અને કોરોનાની સારવાર માટે સરકારી પ્રોટોકોલને પડકારવા બદલ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે.મુખ્ય મેડિકલ સંસ્થાએ પણ રામદેવને એલોપેથી અને એલોપેથિક પ્રેક્ટિશનરો વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવા બદલ માનહાનિની નોટિસ ફટકારી હતી અને તેમને નોટિસ મળ્યાના 15 દિવસની અંદર માફી માંગવા અથવા રૂ.1,000 કરોડનું વળતર ચૂકવવાની માંગ કરી હતી.
Related Articles
બંગાળ-ઓડિશાના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ
વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત ‘યાસ’ વાવાઝોડુંનો ભય તોળાઈ રહ્યો છે. એ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ત્રાટકશે. આ પહેલાં આજથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દિધામાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ‘યાસ’ સોમવારની […]
4200 કરોડની ક્રિપ્ટોકરન્સીની ચોરી
હેકર્સ ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં 600 મિલિયન ડોલરથી વધુની ચોરી કરી છે. હેકરોએ આ કામ બ્લોકચેન આધારિત પ્લેટફોર્મ પોલી નેટવર્કનો ભંગ કરીને આ કર્યું છે. કંપનીએ ટ્વીટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. વિકેન્દ્રિત ફાઇનાન્સ અથવા ડિફાઇ સ્પેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે. પોલી નેટવર્ક એક પ્લેટફોર્મ છે જે વપરાશકર્તાઓને ક્રિપ્ટો ટોકનનું વિનિમય […]
સીબીઆઇ કાર્યાલય બહાર ટીએમસી કાર્યકરોના દેખાવ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એક વખત ઉથલ-પાથલ સર્જાઈ છે. સીબીઆઈએ ટીએમસીના 2 મંત્રી સહિત 4 નેતાઓની ધરપકડ કરી ત્યાર બાદ રાજકીય ભૂકંપ વ્યાપ્યો છે. ટીએમસીના નેતાઓની ધરપકડ બાદ સીબીઆઈના કાર્યાલયની બહાર ટીએમસીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સીબીઆઈના કાર્યાલય બહાર ટીએમસીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન રોકવા માટે પોલીસે […]