ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (આઈએમએ) ગુરુવારે યોગ ગુરુ રામદેવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલોપેથી પર તેમની ‘અયોગ્ય અને ખોટી રજૂઆત’ અંગે એફઆઇઆર નોંધાવાની માંગ કરવામાં આવી હતી. આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં મુખ્ય મેડિકલ સંસ્થાએ જણાવ્યું છે કે, બાબા રામદેવે કોરોના દર્દીઓની સારવાર માટે સ્થાપિત અને માન્ય પદ્ધતિઓ અને દવાઓ અંગે ઇરાદાપૂર્વક અને જાણી જોઈને ખોટી અને પાયાવિહોણી માહિતી ફેલાવી હતી.દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી છે અને આ અંગે તપાસ ચાલી રહી છે. 9મી મેના રોજ આઇએમએની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સ્વામી રામદેવે કોરોનાની પરિસ્થિતિનો લાભ લેવા માટેના ઉદ્દેશ્યના હેતુ જાહેર પ્લેટફોર્મ પર એલોપેથીક દવાઓ અને અન્ય સંલગ્ન કોરોના વાયરસ માટે આધુનિક વિજ્ઞાનની સારવાર તકનીકોના સંદર્ભમાં અપ્રમાણિક અને ખોટી રજૂઆતો કરી હતી.તેમણે જણાવ્યું કે, આ વીડિયો તમામ સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો હતો. આઇએમએએ આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી હતી કે, યોગ ગુરુ રામદેવને રસીકરણ અભિયાન અંગેના કથિત ખોટી માહિતી અને કોરોનાની સારવાર માટે સરકારી પ્રોટોકોલને પડકારવા બદલ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે.મુખ્ય મેડિકલ સંસ્થાએ પણ રામદેવને એલોપેથી અને એલોપેથિક પ્રેક્ટિશનરો વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવા બદલ માનહાનિની નોટિસ ફટકારી હતી અને તેમને નોટિસ મળ્યાના 15 દિવસની અંદર માફી માંગવા અથવા રૂ.1,000 કરોડનું વળતર ચૂકવવાની માંગ કરી હતી.
Related Articles
સીરમ વધુ એક કોરોનાની વેક્સિન લોન્ચ કરશે
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ શુક્રવારે કહ્યું કે, તેમને આશા છે કે ભારતમાં તેમની કંપની દ્વારા ઉત્પાદિત વધુ એક કોરોના રસી ઓક્ટોબરમાં પુખ્ત વયના લોકો અને બાળકો માટે 2022ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં લોન્ચ કરવામાં આવશે.તેમણે સીરમ ઇન્સ્ટિટ્યૂટને પૂરા પાડવામાં આવેલા તમામ સપોર્ટ માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, કંપની […]
પાકિસ્તાનમાં માર્ગ અકસ્માતમાં 31નાં મોત
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં સોમવારે હાઇવે પર એક પેસેન્જર બસ ટ્રેલર ટ્રક સાથે ટકરાતાં ઓછામાં ઓછા 31 લોકોનાં મોત અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી, મોટે ભાગે મજૂર હતા જેઓ ઇદ-ઉલ અઝાની ઉજવણી માટે તેમના વતન જઇ રહ્યા હતા. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. જ્યારે લાહોરથી આશરે 430 કિલોમીટર […]
મહારાષ્ટ્રમાં લોકડાઉન 15 દિવસ લંબાવાશે
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ રોકવા માટે હાલના લોકડાઉન જેવા પ્રતિબંધો લંબાવામાં આવ્યા છે. આ પ્રતિબંધો 30 એપ્રિલથી 15 દિવસ વધારવામાં આવશે. એમ આરોગ્યમંત્રી રાજેશ ટોપે બુધવારે જણાવ્યું હતું.રાજ્યમાં લોકોની હરવા ફરવા પરના કડક અંકુશ અને અન્ય પ્રતિબંધો 14 એપ્રિલથી અમલમાં છે અને તે 30 એપ્રિલના રોજ પૂર્ણ થવાના હતા. કેબિનેટની બેઠક બાદ ટોપેએ કહ્યું કે, પ્રતિબંધોના […]