આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણયના કારણે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં બાદ મળશે, કાર્ડ ધરાવતાં પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા ૫૦ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવામાં આવશે. આ રીતે કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી છે.
Related Articles
ગ્રાન્ટ ઇન એઇડ ખાનગી યુનિ.ના પ્રશ્નો માટે એનએસયુઆઇ મેદાનમાં
છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ આજે સાવર્જનિક સોસાયટીની છ ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશનની માંગણી સાથે નર્મદ યુનિ.માં દેખાવો યોજયા હતા. આજ રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા નર્મદ યુનિ. સાર્વજનિક યુનિ.ની છ ગ્રાન્ટેડ કોલેજોને પુન: જોડાણ આપે તેવી માંગણી કરવામાં આવી હતી. હાલમાં નર્મદ યુનિ. સાથે જોડાયેલી તમામ કોલેજમાં એડમિશન શરૂ થઈ ગયા છે. પરંતુ સાર્વજનિક એજયુકેશન […]
ગુજરાત પર મંડરાઇ રહ્યો છે વાવાઝોડાનો ખતરો
અરબી સમુદ્રમાં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠા નજીકથી પસાર થશે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન સ્થિતિ ડીપ ડિપ્રેશનમાં સઘન બની છે અને શનિવારે સવાર સુધીમાં તે વાવાઝોડામાં ફેરવાશે અને શનિવારે રાત સુધીમાં અતિ તીવ્ર વાવાઝોડું બનશે. 16-19 મે દરમ્યાન તે અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને […]
સુરતના આ વેપારીએ સોમનાથ મંદિર માટે કર્યું 30 કરોડનું દાન
વડાપ્રધાન (PM) અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે યાત્રિકોને સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા ચાર પ્રકલ્પો સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, અને જૂના સોમનાથ મંદિર જીર્ણોધ્ધાર નવીનીકરણનું વર્ચ્યુઅલ સમારંભમાં લોકાર્પણ તેમજ શ્રી પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે […]