આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણયના કારણે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં બાદ મળશે, કાર્ડ ધરાવતાં પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા ૫૦ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવામાં આવશે. આ રીતે કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી છે.
Related Articles
બે દિવસનું ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
આવતીકાલ તા.27મી સપ્ટે.થી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહયુ છે. જેના પગલે વિધાનસભા સંકુલના ફરતે સલામતી વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર વખતે ભાજપ સરકારની નિષ્ફળતા , જામનગર, રાજકોટ અને જુનાગઢમાં અતિવૃષ્ટિ તેજમ તૌકતે વાવાઝોડાની પણ બાકી સહાય, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વ્રારા નવી ભાજપ સરકારને […]
રાજ્યની હોસ્પિટલોમાં ફક્ત 16 ટકા બેડ જ ખાલી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી સર્જાયેલી કોરોનાની બીજી લહેર ભયાનક સ્વરૂપ લઇ રહી છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉતર વધારો નોંધાતા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં બેડ ભરાઇ રહ્યાં છે. રાજ્યના કુલ 37 જિલ્લા, મનપા વિસ્તારોમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાંના કુલ 50695 બેડમાંથી 42758 ભરાઇ ગયા છે. હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી કબૂલાત મુજબ અમરેલી, ખેડા, મોરબી, […]
કોરોનામાં માત્ર 53 કેસ જ પોઝિટિવ મળતા તંત્રને હાશકારો
રાજયમાં કોરોનાના મહામારીનું સંક્રમણ ઘટવા સાથે નવા કેસો નહીંવત પ્રમાણમાં હોય તે રીતે 53 જેટલા કેસો જ નોંધાયા છે. જયારે આજે સારવાર દરમ્યાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી અને તેની સામે 258 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે કોરોનાના અત્યાર સુધીના કુલ 8.24 લાખ કેસો નોંધાયા છે.20 જિલ્લાઓમાં […]