માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત સામાન્ય ચૂંટણી 2021નું આજે સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને 9 જેટલા ખંડ છે, પરંતુ બે ખંડ બિનહરીફ જાહેર કરાયેલા છે. પારડી ડીસીઓ શાળા ખાતે 7 ખંડમાં ચૂંટણી યોજાઈ હતી. વલસાડ જિલ્લાના કુલ 2268 જેટલા મતદાતાઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાત કર્યું હતું. ચૂંટણી પારદર્શક રીતે અને કોવિડ-19ના પાલન સાથે યોજાઈ રહી છે. 28 સપ્ટેમ્બરના રોજ મત ગણતરી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાશે અને ત્યારબાદ ઉમેદવાર જાહેર થશે. સરકારી નોટિફિકેશન દ્વારા ગેજેટમાં બહાર પાડવામાં આવશે. વલસાડ જિલ્લામાંથી અલગ અલગ બુથ પ્રમાણે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે કે.એફ. વસાવાએ ફરજ બજાવી હતી.
Related Articles
વલસાડના ડુંગરીમાં 900 આદિવાસીનું રસીકરણ
વલસાડ તાલુકાનાં ડુંગરી ગામમાં સતત ચાર દિવસ સુધી આદિવાસી સમાજના લોકોને કોરોના સામે રક્ષણ આપતી કોવિડ-૧૯ વેક્સિન મુકાવવા સામાજિક કાર્યકરોએ અભિયાન ઉઠાવ્યું હતું. આદિવાસીઓમાં રહેલી વેક્સિન બાબતની ગેરસમજ દૂર કરી વેક્સિન મુકાવવા તૈયાર કર્યા હતા. ડુંગરી શ્રીરામજી મંદિર હોલ તેમજ પૂર્વ વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબક્કા વાર સતત ચાર દિવસ સુધી વેક્સિન કેમ્પ યોજાયા હતા. […]
વલસાડના પારડીમાં ડ્રેનેજ મુદ્દે રહેવાસીઓનો વિરોધ
વલસાડના વલસાડ પારડી વોર્ડ નં. 2 અને 5 માં ડ્રેનેજ લાઈન મુદ્દે સ્થાનિકો આક્રમક મૂડમાં આવી ગયા છે. આવનારી પેટા ચૂંટણીમાં કામ નહીં તો વોટ નહીં, ભાજપના કાઉન્સિલર ને વોટ નહીંના બેનરો લઈને વિસ્તારમાં ફરતા પાલિકા એન્જિનિયર, ભાજપની હાય હાય બોલાવતા સામી ચૂંટણીએ વિવાદ વકરવા સાથે ભાજપ ઉમેદવાર સામે પડકાર પણ ઉભો થયો છે. સ્થાનિકોએ […]
પારડીમાં ગણેશોત્સવમાં ભાગ લેતા મંત્રી રમણ પાટકર
પારડીમાં કોરોનાના લાંબા સમય બાદ આ વર્ષે સાંઈ શાંગ્રીલા સોસાયટીમાં ગણેશોત્સવ ના બીજેદિવસે વનઆદિજાતિ મંત્રી રમણ પાટકરે મુલાકાત લઇ શ્રીજીના દર્શન કર્યા હતા. તેમની જોડે મહેશ ભટ્ટ પણ આવ્યા હતા. ગણપતિજીના દર્શન કર્યા બાદ મંત્રી રમણ પાટકર સોસાયટીના પ્રમુખ અમૃત પટેલ, ભદ્રેશ પટેલ, અશોક પ્રજાપતિ, પૃથ્વીસ પટેલ, અમિત દેસાઈ, ધર્મેશ મોદી તેમજ સોસાયટી બાળકો અને […]