વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બિરાજમાન શ્રીજીનું પાંચમા દિવસનું ગૌરી વિસર્જન વાજતેગાજતે અશ્રુભીની આંખે વલસાડની ઔરંગા નદી અને વાંકી નદીમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગણેશોત્સવની મંજૂરી આપવામાં આવી છે આ વર્ષે ગણેશોત્સવમાં ઘરમાં 2 ફૂટ અને પંડાલમાં 4 ફૂટથી નાની પ્રતિમાની જ મંજૂરી હોય આ તમામ પ્રતિમાઓનું વિસર્જનમાં 15 વ્યક્તિઓની મર્યાદિત સંખ્યામાં ભક્તોની હાજરી સાથે કૃત્રિમ કુંડ અને નદીમાં કરવામાં આવ્યું હતું. જેના માટે નગરપાલિકા દ્વારા ઔરંગા નદીના કિનારે કૃત્રિમ કુંડ તૈયાર કરી દેવાયા છે વલસાડ નગરપાલિકા દ્વારા ઔરંગા નદીના ઓવરા પર કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. મંગળવારે વલસાડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશભક્તોએ પોતાના ઘર અને પંડાલમાં સ્થાપન કરેલા ગણેશજીનું આજે પાંચમાં દિવસે વાજતે ગાજતે અશ્રુભીની આંખે વલસાડ શહેરની ઔરંગા નદી અને વાંકી નદીમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગાઈડલાઈન અનુસાર વિસર્જનના દિવસે ભક્તોએ ડીજે અને ઢોલ નગારા પોતાના ઘરઆંગણે અને પંડાલમાજ વગાડ્યા હતા ત્યારબાદ 15 વ્યક્તિઓની સંખ્યા સાથે નીકળી ગણપતિ બાપ્પાનું નદી અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યા હતા.
Related Articles
પારડી ખાતે શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં 2268નું મતદાન
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત સામાન્ય ચૂંટણી 2021નું આજે સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને 9 જેટલા ખંડ છે, પરંતુ બે ખંડ બિનહરીફ જાહેર કરાયેલા છે. પારડી ડીસીઓ શાળા ખાતે 7 ખંડમાં ચૂંટણી યોજાઈ હતી. વલસાડ જિલ્લાના કુલ 2268 જેટલા મતદાતાઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાત કર્યું હતું. ચૂંટણી […]
વલસાડના ડુંગરીમાં 900 આદિવાસીનું રસીકરણ
વલસાડ તાલુકાનાં ડુંગરી ગામમાં સતત ચાર દિવસ સુધી આદિવાસી સમાજના લોકોને કોરોના સામે રક્ષણ આપતી કોવિડ-૧૯ વેક્સિન મુકાવવા સામાજિક કાર્યકરોએ અભિયાન ઉઠાવ્યું હતું. આદિવાસીઓમાં રહેલી વેક્સિન બાબતની ગેરસમજ દૂર કરી વેક્સિન મુકાવવા તૈયાર કર્યા હતા. ડુંગરી શ્રીરામજી મંદિર હોલ તેમજ પૂર્વ વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબક્કા વાર સતત ચાર દિવસ સુધી વેક્સિન કેમ્પ યોજાયા હતા. […]
વલસાડના રેલવે કર્મચારીઓની રેલરોકો આંદોલનની ચીમકી
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડેના નેજા હેઠળ સમગ્ર મુંબઈ ડિવિઝનમાં તેમજ વલસાડ બ્રાંચ દ્વારા રેલવેમાં મોનેટાઈઝેશનના નામે થતા ખાનગીકરણના વિરોધ સંદર્ભે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આઈઓડબલ્યુ ખાતે મિટિંગ યોજી ‘ચેતવણી દિવસ’ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશનના સદસ્ય કૉમરેડ પ્રકાશ સાવલકરે જણાવ્યું કે, કેંદ્ર સરકાર રેલ્વે કર્મચારીઓનું શોષણ […]