કોરોનાની સારવાર હેઠળના એક એશિયાટીક સિંહે બુધવારે દમ તોડી દીધો હતો. અહી, છેલ્લા બે અઠવાડિયાના સમયમાં પ્રાણી સંગ્રહાલયમાં આ બીજું માંસાહારી પ્રાણી છે જે કોરોના વાયરસનો શિકાર બન્યું છે. આ અગાઉ, સિંહણ કોરોનાનો પ્રથમ શિકાર બની હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 12 વર્ષના સિંહને ઉપનગરીય વંદલુંર ખાતે આવેલા આર્ગિનાર અન્ના ઝૂઓલોજિકલ પાર્કના સફારી વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો. એએઝેડપીના નાયબ નિયામકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોરોનાની સઘન સારવાર કરવામાં આવી રહી હતી. કોરોના સંક્રમણના કારણે થયેલી આ બીજી દુર્ઘટના છે. આ અગાઉ, કોરોના સંક્રમણથી 3 જૂને નવ વર્ષિય સિંહણનું મોત થયુ હતું. તેમજ, કુલ 14 માંથી સાત સિંહોને ચેપ લાગ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, ત્રણ સિંહો સારવાર માટે ધીમે ધીમે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં પણ સિંહોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતાં. જો કે, ત્યારબાદ તેની કાળજી લેવામાં આવી હતી. પ્રાણીઓમાં કોરોનાનું સંક્રમણ થાય તે ખૂબ જ ગંભીર બાબત ગણવામાં આવી રહી છે. હાલમાં જ્યારે દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે ત્યારે હવે પ્રાણીઓમાં તેનું સંક્રમણ દેખાતા આરોગ્ય તંત્ર માટે નવી સમસ્યા ઉભી થઇ શકે તેમ છે. ખાસ કરીને જો ઝૂમાં રહેતા પ્રાણીઓમાં કોરોનાનું સંક્રમણ હોય તો તે અન્ય પ્રાણીઓમાં ફેલાવાની શક્યતા પણ નકાર શકાય તેમ નથી. હવે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર પણ કોરોનાના કેસ પ્રાણીઓમાં નહીં ફેલાઇ તે માટેની તૈયારીમાં લાગી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Related Articles
બિહારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું કોરોનાના કારણે અવસાન
બિહાર સરકારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું અવસાન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સારવાર અંતર્ગત હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના અવસાનને લઈને દુખ વ્યક્ત કર્યું હતું. અગાઉ સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ સચિવ રવિ શંકર ચૌધરીનું કોરોનાના કારણે અવસાન થયું હતું. 1985ની બેચના આઈએએસ અધિકારી રહી ચુકેલા અરૂણ કુમાર સિંહ મુખ્ય સચિવ બન્યા તે પહેલા […]
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ડિજિટલ માધ્યમથી બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા)ના પાંચ દેશોના ગ્રુપની વાર્ષિક સમિટની અધ્યક્ષતા કરશે. એમ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) દ્વારા એક નિવેદનમાં માહિતી આપવામાં આવી છે.આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં અફઘાનિસ્તાનની […]
મનકી બાતને કારણે ઓલ ઇન્ડિયા રેડિયોને 10.64 કરોડની આવક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ને 2014માં શરૂ થયા પછી અત્યાર સુધી 30.80 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. જેમાં સૌથી વધુ 10.64 કરોડની આવક વર્ષ 2017-18માં થઈ હતી. એમ રાજ્યસભાને સોમવારે જાણ કરવામાં આવી હતી. ‘મન કી બાત’ કાર્યક્રમ અખિલ ભારતીય રેડિયો અને દૂરદર્શનની વિવિધ ચેનલોમાં માધ્યમે દર મહિનાના અંતિમ રવિવારે […]