રામપુરામાં મોડી રાત્રે મોસીન કાલીયા અને વલીઉલ્લાના પુત્રની વચ્ચે ગેંગવોર થઇ હતી. દારૂ અને જુગારના ધંધાની હરીફાઇમાં આ હુમલો કરાયો હોવાની માહિતી મળી છે, પરંતુ આ બાબતે પોલીસે મૌન પાળ્યુ હતુ. મોસીન કાલીયાએ પોતાના સાગરીતો સાથે મળીને વલીઉલ્લાના ભાઇ ઉપર હુમલો કર્યો હતો અને તલવારથી તોડફોડ પણ કરતા મામલો તંગ બની ગયો હતો. આ બાબતે રાત્રીના સમયે જ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રામપુરા રાજાવાડી ડાયાભાઇની ચાલ પાસે માથાભારે ગણાતા વલીઉલ્લાના ભાઇ બરકત ઇનાયત પઠાણની ઓફિસ આવી છે. મંગળવારે રાત્રીના સમયે બરકત અને ઍઝાઝ અન્સારી ઓફિસમાં બેઠા હતા તે વખતે માથાભારે મોસીન ઉર્ફે કાલીયો સબીરખાન (રહે, હોડી બંગલા), ઍઝાઝ ઉર્ફે લાલુ વારસી, (રહે, વારસી ટેકરો હોડી બંગલા), આસીફ તલવાર ઉર્ફે આસીફ કેલા (રહે,ગંધ્વાળ ટેકરો સલાબતપુરા), વસીમ ડોફો, ઓસામા, મોઈનુદીન સૈયદ અને મોસીનનો ભાણીયો ઘાતક હથિયારો લઇને આવ્યા હતા. આ તમામએ ગાડીઓની તોડફોડ કરીને બરકતખાન ઉપર તલવારથી હુમલો કરતા તેની આંગળી કપાઇ ગઇ હતી. બરકત પઠાણ વલીઉલ્લાનો ભાઇ છે, અને દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવતો હતો. બીજી તરફ મોસીન પણ દારૂનો વેપાર કરતો હતો. બંને વચ્ચે વર્ચવસ્વને લઇને પણ માથાકૂટ થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. એક મહિના પહેલા બરકત પઠાણના માણસો અને મોસીન કાલીયાના માણસો માથાકૂટ થઇ હતી. મોસીન કાલીયાના માણસોની સામે ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ બરત પઠાણે કરી હતી, આ ફરિયાદ પરત ખેંચી લેવા માટે પણ આ હુમલો કરાયો હોવાનું કહેવાઇ રહ્યું છે. મોડી રાત્રે ઓફિસમાં તોડફોડ તેમજ મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. રાત્રીના સમયે જ લાલગેટ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Related Articles
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને ગુજરાત કોંગ્રેસનો ટેકો
કૃષિ વિરોધી ત્રણ કાયદાઓ , વીજળી બિલ 2020 તથા નવી શિક્ષણ નીતિના વિરોધમાં આવતીકાલે સંયુકત્ત કિસાન મોર્ચા દ્વ્રારા આવતીકાલે ભારત બધનું એલાન આપવામાં આવ્યુ છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસે પણ તેનો ટેકો જાહેર કર્યો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકત્તા ડૉ. મનીષ દોશીએ કહયું હતું કે ખેડૂતોને સ્વેચ્છાએ બિનરાજકિ. રીતે જોડાવવા અપીલ છે. રાજયમાં બંધના એલાનની અવળી […]
નવસારી, વલસાડ સહિત હવે 29 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા. જે મુજબ હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ 28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે […]
અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુઓને કોઇ તકલીફ નહીં પડે : ગૃહમંત્રી
પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને ગુજરાતમાં આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે અને તેઓને ગુજરાતમાં રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત […]