પારડી શહેર ભાજપમાંથી આજરોજ નગર પાલિકાના વર્તમાન વીજળી સમિતિના ચેરમેન અને પારડી શહેર ભાજપ સંગઠન મંત્રી કિરણ મોદી અને બાલાખાડીના ભાજપના બીજલ ઉર્ફે મુન્નો દેસાઈએ પારડી શહેર ભાજપ સંગઠનમાંથી પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દેતાં પારડીમાં ભાજપનો ડખો સપાટી પર આવી ગયો હતો. આ બંનેએ વારંવાર ઉપેક્ષા થતી હોવાનું કારણ દર્શાવી રાજીનામુ ધરી દેતા પારડીમાં ફરી એક ભૂકંપ સર્જાયો છે. થોડા દિવસ અગાઉ પારડી શહેર ભાજપ પૂર્વ મહામંત્રી અને નોટરી એડવોકેટ વિજય શાહે પણ રાજીનામુ આપ્યું હતું. જેમાં તેઓએ પોતાની નારાજગી સાથે અનેક આક્ષેપો પણ કર્યા હતા. આગામી 13 સપ્ટેમ્બરના રોજ તેઓ ‘આપ’ પાર્ટી માં જોડાઈ રહ્યા છે. જેને પગલે પારડી શહેર ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આજરોજ કિરણ શશીકાંત મોદી અને બીજલ ઉર્ફે મુન્નો કિશોરચંદ્ર દેસાઈએ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને રાજીનામુ આપી દીધું હતું. જેની કોપી સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી. પારડી શહેરમાં આપ પાર્ટી ભાજપના નારાજ કાર્યકર્તાઓને આપ પાર્ટીમાં જોડાવવા કમર કસી રહી છે. જેને લઇ આવનાર દિવસોમાં પારડી શહેરમાં આપ પાર્ટીનું વાતાવરણ સર્જાય તો નવાઈ નહીં .
Related Articles
વલસાડમાં જુદી જુદી પેટા ચૂંટણીની જાહેરાત
રાજ્યના ચૂંટણીપંચ દ્વારા પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી જગ્યા માટે મધ્યસ્થ ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં વલસાડ નગરપાલિકામાં ખાલી પડેલી 5 બેઠકની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. જેના પગલે પાલિકામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ પાલિકાના વોર્ડ નં.1 ના સભ્ય ઉજેશ પટેલ, વોર્ડ નં..5ના સભ્ય પ્રવીણ […]
પારડીમાં ગણેશોત્સવમાં ભાગ લેતા મંત્રી રમણ પાટકર
પારડીમાં કોરોનાના લાંબા સમય બાદ આ વર્ષે સાંઈ શાંગ્રીલા સોસાયટીમાં ગણેશોત્સવ ના બીજેદિવસે વનઆદિજાતિ મંત્રી રમણ પાટકરે મુલાકાત લઇ શ્રીજીના દર્શન કર્યા હતા. તેમની જોડે મહેશ ભટ્ટ પણ આવ્યા હતા. ગણપતિજીના દર્શન કર્યા બાદ મંત્રી રમણ પાટકર સોસાયટીના પ્રમુખ અમૃત પટેલ, ભદ્રેશ પટેલ, અશોક પ્રજાપતિ, પૃથ્વીસ પટેલ, અમિત દેસાઈ, ધર્મેશ મોદી તેમજ સોસાયટી બાળકો અને […]
વલસાડના ડુંગરીમાં 900 આદિવાસીનું રસીકરણ
વલસાડ તાલુકાનાં ડુંગરી ગામમાં સતત ચાર દિવસ સુધી આદિવાસી સમાજના લોકોને કોરોના સામે રક્ષણ આપતી કોવિડ-૧૯ વેક્સિન મુકાવવા સામાજિક કાર્યકરોએ અભિયાન ઉઠાવ્યું હતું. આદિવાસીઓમાં રહેલી વેક્સિન બાબતની ગેરસમજ દૂર કરી વેક્સિન મુકાવવા તૈયાર કર્યા હતા. ડુંગરી શ્રીરામજી મંદિર હોલ તેમજ પૂર્વ વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબક્કા વાર સતત ચાર દિવસ સુધી વેક્સિન કેમ્પ યોજાયા હતા. […]