પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયેલા અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીએ કહ્યું છે કે તે ભારતીય એજન્સીઓના ભયથી ભાગતો નથી. મેહુલ ચોકસીએ દેશ છોડવાનું કારણ આપતા કહ્યું કે તેણે સારવાર માટે દેશ છોડ્યો છે. તેણે પોતાને કાયદાનું સમ્માન કરનાર નાગરિક પણ ગણાવ્યો છે. ભારતીય એજન્સીઓને તેના ઇન્ટરવ્યુ માટે આમંત્રણ આપતાં ચોક્સીએ કહ્યું કે તે કોઈપણ સવાલના જવાબ માટે તૈયાર છે.મીડિયા રીપોર્ટ અનુસાર, 62 વર્ષીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીએ ડોમિનિકા હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે, “મેં ભારતીય અધિકારીઓને મારું ઇન્ટરવ્યૂ લેવાનું અને કોઈ પણ તપાસ અંગે કોઈ પણ સવાલ પૂછવા કહ્યું છે.” આ સંદર્ભે મેહુલ ચોકસીએ કહ્યું, “હું ભારતીય એજન્સીઓથી ભાગ્યો નથી. જ્યારે અમેરિકામાં સારવાર લેવા માટે મેં દેશ છોડ્યો ત્યારે મારી વિરૂધ્ધ કોઈ વોરંટ નહોતું.” મેહુલ ચોકસીએ જાન્યુઆરી 2018 માં દેશ છોડ્યો હતો. 13,500 કરોડ રૂપિયાનું PNB કૌભાંડ બહાર આવ્યાનાં થોડા દિવસો પહેલા જ મેહુલ ચોકસી દેશ છોડીને ગયો હતો અને ત્યારથી તે એન્ટિગુઆમાં રહે છે. ત્યારબાદ એકવાર પણ મેહુલ ચોકસી દેશ પરત ફર્યો નથી. તેની વિરૂધ્ધ CBI અને ED એ કેસ નોંધ્યા છે. મેહુલ ચોકસીએ 3 જૂને ડોમિનિકા હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે તેને ભાગવાની ઇચ્છા નથી. તેણે એવો દાવો પણ કર્યો હતો કે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ આંતરરાષ્ટ્રીય વોરંટ નથી, પરંતુ શરણાગતિ માટેની અપીલ માત્ર છે. મેહુલ ચોકસી સામે ફરિયાદી કરવામાં આવી હતી અને તે ફરી ભાગી છુટશે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ બાદ મેહુલ ચોકસીએ આ સોગંદનામું દાખલ કર્યું છે. મેહુલ ચોક્સીએ કોર્ટને ખાતરી આપવાનો પણ પ્રયાસ કર્યો છે કે જ્યાં સુધી કોર્ટ તેને એન્ટિગુઆ પરત ફરવા દેશે નહીં ત્યાં સુધી તે ક્યાંય જશે નહીં અને અહીંથી ભાગી છુટવા પણ ઇચ્છતો નથી.
Related Articles
જમ્મુ કાશ્મીરમાં વધુ બે આતંકવાદી ઠાર મરાયા
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.થાનમંડી ફોરેસ્ટ બેલ્ટ વિસ્તારમાં ઑપરેશન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજીપી) મુકેશ સિંહે કહ્યું કે, તે ત્રણથી ચાર આતંકવાદીઓનું જૂથ છે, જેમાંથી બે વિદેશી આતંકવાદી છે. અમને લાગે છે કે, તેઓ […]
કોરોનામાં મોદીની કાર્યશૈલી માફીને લાયક નથી : ધ લેન્સેટ
મેડિકલ રિસર્ચ જર્નલ ‘ધ લેન્સેટ’એ તેના એક સંપાદકીયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અંગે આકરી ટિપ્પણી કરી છે. તેણે લખ્યુ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્ય માફીને લાયક નથી. તેમણે ગયા વર્ષે કોરોના મહામારીનું સફળ નિયંત્રણ કર્યા બાદ બીજી લહેરનો સામનો કરવામાં જે ભૂલ થઈ છે તેની જવાબદારી લેવી જોઈએ. ધ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ […]
મુંબઇમાં ગણેશ મંડપમાં રૂબરૂ દર્શન પર પ્રતિબંધ
મુંબઈની મ્યુનિસિપલ સંસ્થાએ શુક્રવારથી શરૂ થતા ગણપતિ ઉત્સવ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે અને જાહેર પંડાલોમાં ભક્તો માટે રૂબરૂ દર્શન તેમજ ઉજવણી દરમિયાન સરઘસમાં ભાગ લેનારાઓની સંખ્યા પર પ્રતિબંધ લાદ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને (બીએમસી) મંગલવારે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર, ગણપતિની મૂર્તિ લાવવા માટે અને તેમના વિસર્જન દરમિયાન જાહેર મંડળોના સરઘસોમાં 10થી વધુ લોકો […]