પોર્ટલ લોન્ચ થયાના બે મહિના પછી પણ આવકવેરાનું ઇ ફાઇલિંગ થઇ શકતું નથી

નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના એમડી અને સીઈઓ સલીલ પારેખને નાણાંમંત્રી નિર્મલા સીતારમણને સમજાવવા માટે બોલાવ્યા છે કે, ઈનકમ ટેક્સ પોર્ટલમાં લોન્ચ થયાના બે મહિના પછી પણ સમસ્યાઓ કેમ ઉકેલાઈ નથી. પોર્ટલ 21 ઓગસ્ટથી ઉપલબ્ધ નહીં હોવાની હકીકતની નોંધ લેતા, ઇન્ફોસિસના ટોચના એક્ઝિક્યુટિવને સમજાવવા માટે કહેવામાં આવશે કે, શા માટે બહુવિધ અવરોધો તેની સરળ કામગીરીને અટકાવે છે. નાણાં મંત્રાલયે 21/08/2021થી પોર્ટલ ઉપલબ્ધ નહીં હોવાનું માનનીય નાણાંમંત્રીને સમજાવવા માટે 23/08/2021ના ​​રોજ ઈન્ફોસિસના એમડી અને સીઇઓ સલીલ પારેખને બોલાવ્યા છે. કારણ કે, નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ થયાના 2.5 મહિના પછી પણ પોર્ટલમાં રહેલી ખામીઓ કેમ ઉકેલાઇ નથી. નવું આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલે (www.incometax.gov.in) 7 જૂને લોન્ચિંગના દિવસથી જ ધમાકેદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ, પોર્ટલ સતત તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.જાન્યુઆરી 2019થી જૂન 2021 વચ્ચે સરકારે પોર્ટલ વિકસાવવા માટે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *