વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર ઉમરગામ પંથકમાં છેલ્લા ૮ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સોમવારે સવારથી જ સમગ્ર ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ૫૪ મીમી (બે ઇંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. ફલડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મોસમનો કુલ વરસાદ ૨૧૦૭ મીમી એટલે કે ૮૫ ઈંચ જેટલો નોંધાયો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. ઉમરગામ દહેરી કોસ્ટલ હાઇવે ઉપર નીચાણવાળા માર્ગ પાસે પાણી ભરાતા વાહનચાલકો હાલાકી વેઠતી જોવા મળ્યા હતા. આ રોડ ઉપર પાણી ભરાયેલા હોય સાવચેતી રાખવા અને અંદરના ગામ્ય રસ્તાનો ઉપયોગ કરવા પોલીસ તંત્ર તથા પંચાયત દ્વારા બોર્ડ પણ લગાડવામાં આવ્યા હતા.
Related Articles
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની દિશામાં ગુજરાતનું મહ્તવપૂર્ણ પગલું
ગુજરાતમાં આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને ગુજરાત સરકાર વચ્ચે આજે એમ.ઓ.યુ. કરાયા હતાં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં આ મહત્વની ઘટનાના સહભાગી થવા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાની હાજરીમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ગુજરાત […]
ગુજરાત પર મંડરાઇ રહ્યો છે વાવાઝોડાનો ખતરો
અરબી સમુદ્રમાં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠા નજીકથી પસાર થશે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન સ્થિતિ ડીપ ડિપ્રેશનમાં સઘન બની છે અને શનિવારે સવાર સુધીમાં તે વાવાઝોડામાં ફેરવાશે અને શનિવારે રાત સુધીમાં અતિ તીવ્ર વાવાઝોડું બનશે. 16-19 મે દરમ્યાન તે અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને […]
સેનેટ પદ રદ થતાં પ્રાધ્યાપકોનો નર્મદ યુનિવર્સિટી ખાતે દેખાવ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીથી છેડો ફાડી અલગ ખાનગી યુનિવર્સિટીમાં તબદીલ થયેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિવર્સિટી તેમજ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રિન્સિપલ સહિત ટીચર્સને યુનિવર્સિટીએ સેનેટ સહિત અલગ અલગ હોદ્દા ઉપરથી દૂર કરી ફારેગ કરી દેતા આજે અખિલ ભારતીય શૈક્ષિક સંઘ મેદાનમાં આવ્યું હતું. અખિલ ભારતીય શૈક્ષિક સંઘે યુનિવર્સિટીના આ પગલાનો વિરોધ વ્યકત કરી […]