મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (જેયુડી)ના પ્રમુખ હાફિઝ સઈદના ઘરની બહાર બુધવારે એક શક્તિશાળી કાર બૉમ્બનો વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત અને 20 લોકો ઘાયલ થયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું. આ વિસ્ફોટ જોહર ટાઉનની બીઓઆર સોસાયટીમાં સઈદના નિવાસસ્થાનની બહાર પોલીસ ચોકી પર થયો હતો. પંજાબ પોલીસ પ્રમુખ ઇનામ ગનીએ સઇદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, હાઇ પ્રોફાઇલ વ્યક્તિના ઘરની બહાર પોલીસ ચોકી ન હોત તો ‘મોટું નુકસાન’ થયું હોત. તેમણે કહ્યું કે, કાર બૉમ્બ બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. પંજાબના ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ (આઈજીપી) ગનીએ તેને આતંકવાદી કૃત્ય ગણાવતાં કહ્યું કે, કારમાં વિસ્ફોટક સામગ્રી લગાવાઈ હતી. ઉચ્ચ મૂલ્ય ધરાવતા લક્ષ્યના ઘરની બહાર પોલીસ ચોકી હતી અને કાર પોલીસ ચોકીને પાર કરવામાં અક્ષમ રહી હતી. કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે (સીટીડી) બ્લાસ્ટ સ્થળ અને તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. તેમણે કહ્યું કે, સીટીડી નક્કી કરશે કે આ આત્મઘાતી વિસ્ફોટ હતો કે નહીં. ગનીએ એવો પણ દાવો કર્યો હતો કે, આ વિસ્ફોટમાં ‘વિરોધી’ ગુપ્તચર એજન્સીઓ સામેલ હોઈ શકે છે. ઘાયલ લોકોને જિન્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં છ લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. જિન્ના હોસ્પિટલના ડો.યાહ્યા સુલતાને જણાવ્યું હતું કે, જેમાં ઇજાગ્રસ્તોમાં પોલીસકર્મીઓ પણ શામેલ છે. હોસ્પિટલમાં દાખલ 17 લોકોમાંથી છ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે. ગૃહમંત્રી શેખ રશીદે પંજાબના મુખ્ય સચિવ અને આઇજીને રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. બચાવ દળ 1122ના અનુસાર, આ એક શક્તિશાળી વિસ્ફોટ હતો, જેણે આ વિસ્તારમાં ઘણા મકાનો, દુકાન અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર, વિસ્ફોટમાં નજીકમાં પાર્ક કરેલી એક રિક્ષા અને મોટરસાયકલો સંપૂર્ણ નાશ પામી હતી અને વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે તે દૂરથી સંભળાયો હતો. વિસ્ફોટથી ઘટનાસ્થળ પર અફવા ફેલાઇ હતી કે સઈદ ઘરમાં હાજર હતો. સઇદ (71) આતંકી ધિરાણના કેસમાં લાહોર ખાતે કોટ લખપત જેલમાં સજા ભોગવી રહ્યો છે.
Related Articles
મેડિકલ કોલેજો અને નોકરીઓમાંના મરાઠા આરક્ષણ ગેરબંધારણીય
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાંઆવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા આરક્ષણ 50 ટકા સીમાનું ઉલ્લંઘનકરે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક […]
ત્રણ દિવસના અખિલ ભારતીય કૃષિ સંમેલનનો પ્રારંભ
અહીં ગુરુવારે સિંઘુ સરહદ પર શરૂ થયેલા ખેડૂતોના અખિલ ભારતીય સંમેલનનો પ્રથમ દિવસ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેશભરમાં વિરોધને વિસ્તૃત કરવા પર કેન્દ્રિત હતો. ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના નવ મહિના પૂરા થતા બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટિકૈતે કર્યું હતું. ટિકૈતે કહ્યું કે, દુ:ખની વાત છે […]
સેન્સેક્સ ઇતિહાસમાં પહેલી વખત 60હજાર પોંઇન્ટથી ઉપર બંધ
રોકાણકારોએ બૅન્કિંગ, ફાયનાન્સ અને ઑટો શૅરોમાં નીરસ વૈશ્વિક હવામાન છતાં લેવાલી ચાલુ રાખતા આજે મુંબઈ શૅરબજારના સેન્સેક્સે 60000ની સપાટી કૂદાવીને ઈતિહાસ રચ્યો હતો. 30 શૅરોનો સેન્સેક્સ 163.11 પૉઇન્ટ્સ એટલે કે 0.27% વધીને 60048.47ની સર્વોચ્ચ-સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં તેણે 60333ની ઑલ ટાઇમ હાઇ પિક બનાવી હતી. એવી જ રીતે એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ […]