બીલીમોરા નજીકના ગોયંડીમાં હડકાયા શ્વાને ગામના 10 થી વધારે લોકોને કરડી ઘાયલ કરતા હડકંપ મચી ગયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ગોયંડી ગામે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામના ઈંટના ભઠ્ઠા ઉપર ચીખલી તાલુકાના આલીપોર ગામના મજૂરને શ્વાને કરડતા તેને 27 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ગામની ચાર વર્ષીય બાળકી ઘરના ઓટલા પર બેઠી હતી. તેને આ હડકાયો શ્વાન ખેંચી જતા તેને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સદનસીબે ગામના યુવાનો બાળકીને શ્વાને વધુ નુકસાન પહોંચાડે તે પહેલા બચાવી લીધી હતી. આ હડકાયો શ્વાન અચાનક લોકોની નજીક આવીને હુમલો કરી બેસે છે અને શરીરે બચકા ભરી લેતો હોય છે. તેને હડકવુ લાગ્યું હોવાથી તે રઘવાયું બનેલું છે. જેથી આ શ્વાનને પકડવાની ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે પણ તે હાથે હજી લાગ્યું નથી. જેથી તંત્ર પાસે ગ્રામજનોએ મદદ માંગી આ હડકાયા શ્વાનના આંતકથી ગ્રામજનોને મુક્ત કરાવવાની માંગ કરી રહ્યાં છે.
Related Articles
ભરૂચ નેત્રંગ રોડ પર અકસ્માતમાં પાંચના મોત
નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા કાર ખાઈમાં ખાબકી હતી. ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. જેઓની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી. જેમાં ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં […]
તૌકેત વાવાઝોડું રાત્રે ૯ વાગ્યે દિવ અને ઉના વચ્ચે ટકરાયું
રાજયમાં રાત્રીના ૯ વાગ્યે તૌકતે વાવાઝોડું પોરબંદર અને ભાવનગરના મહુવાની વચ્ચે દિવ- ઉના પાસે દરિયા કિનારે નજીક આવી જવાની સાથે તેના લેન્ડફોલની શરૂઆત થઈ ચૂકી છે. આ વાવાઝોડુ હવે સાગરકાંઠાથી ૨૦ કિમી દૂર છે, એટલે રાત્રીના ૯ વાગ્યા પછી દોઢથી બે કલાક તેને પસાર થતાં લાગશે.વાવાઝોડુ નજીક આવ્યું કે તુરંત જ રાજયમાં પવનની ગતિ વધી […]
રાજ્યમાં 2 સપ્ટેમ્બરથી ધો. 6 થી 8ના વર્ગો શરૂ થશે
રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થવાને પગલે રાજ્યમાં તબક્કાવાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી 2 સપ્ટેમ્બર-21થી રાજ્યભરની શાળાઓમાં 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 20 હજારથી વધુ સરકારી શાળાઓ સહિત ધોરણ-6 થી 8ના વર્ગો ધરાવતી કુલ 30 હજારથી વધુ શાળાઓના 32 લાખ જેટલા બાળકોનું વર્ગખંડ શિક્ષણકાર્ય શરૂ થશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ […]