ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 31,222 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની કુલ સંખ્યા 3,30,58,843 થઈ ગઈ છે. તેમજ સક્રિય કેસ ચાર લાખથી ઓછા નોંધાયા છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું.સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 290 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,41,042 પર પહોંચી ગયો છે. જ્યારે, મૃત્યુદર 1.33 ટકા નોંધાયો છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસો ઘટીને 3,92,864 થઈ ગયા છે. જે કુલ કેસનો 1.19 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.48 ટકા નોંધાયો છે.છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 12,010 કેસોનો ઘટાડો નોંધાયો છે.સોમવારે 15,26,056 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ટેસ્ટ વધીને 53,31,89,348 થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દૈનિક સંક્રમણ દર 2.05 ટકા નોંધાયો છે. જે છેલ્લા આઠ દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે.
જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.56 ટકા નોંધાયો છે. જે છેલ્લા 74 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે.દેશમાં કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,22,24,937 થઈ ગઈ છે.મંત્રાલયના જણાવ્યાં અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1.13 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ રસીના કુલ 69.90 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.દેશમાં મૃત્યુ પામેલા 290 લોકોમાં કેરળનાં 135 અને મહારાષ્ટ્રનાં 37 લોકોનો સમાવેશ થાય છે.