શહેરના અડાજણ (ADAJAN) વિસ્તારમાં હની પાર્ક રોડ પરની એક કોસ્મેટિકની દુકાનમાં સાંજના સાડા ચાર વાગ્યના અરસામાં ઇલેકટ્રીક વાયરિંગમાં શોર્ટ સર્કિટથી અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનાની ફાયર(FIRE) વિભાગને જાણ થતાં અડાજણ અને પાલનપુર પાટિયાના ફાયર સ્ટેશનના લાશ્કરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આગની જ્વાળાઓ દુકાનમાંથી બહાર આવી રહી હતી જ્યાં લાશ્કરોએ આગ પર અડધો કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં દુકાનનો બધો જ સામાન બળી ગયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું. અડાજણ ફાયર સ્ટેશનના ઓફિસર ઈશ્વર પટેલ એ જણાવ્યું હતું કે, અડાજણના હની પાર્ક રોડ પરના એક કોસ્મેટિકની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ આખા વિસ્તારમાં જોરદાર ધડાકા-ભડાકાના અવાજ સાંભળતા આજુબાજુ ના દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દુકાનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાથી આગ વધુ ફેલાઇ હોય એમ કહી શકાય છે. દુકાનમાં ફટાકડા હોવાનુ પણ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું.
Related Articles
સુરતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર ભવિષ્યમાં રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ
સુરત શહેરે 1992 પછી વિકાસની જે યાત્રા શરૂ કરી છે તે આજની તારીખે પણ વણથંભી રહી છે. સુરતનો વિકાસ જેટલી ઝડપથી થઇ રહ્યો છે તેની સાબિતી એ જ છે કે, વિશ્વના સૌથી વધુ વિકસી રહેલા શહેરમાં સુરતની પણ ગણતરી કરવામાં આવે છે. સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ માટે ઉત્તમ હોવાના અનેક કારણ છે અને તેમાં […]
વ્યારામાં બિલ્ડરની નિર્મમ હત્યા
તાપીમાં એક બિલ્ડરની સરાજાહેર નિર્મમ હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં ચાર જેટલા શખ્સો આવ્યા હતા અને તલવારના 15 ઘા મારીને બિલ્ડરને રહેંસી નાખ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બિલ્ડરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ […]
સોમનાથ અને વીરપુરનું જલારામ મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ
કોરોના વાયરસની વકરેલી મહામારીના પગલે વિરપુરનું વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી પૂ. જલારામ બાપાનું મંદિર સાવચેતીના પગલારૂપે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશ-વિદેશના ભાવીકોમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન અને જલીયાણ ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત પૂ. જલારામ બાપાના મંદિરને કોરોનાની મહામારીના કારણે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય પૂ. જલારામ બાપાના પરિવાર દ્વારા લેવામાં આવેલ છે. કોરોના […]