વાંસદા તાલુકાના કુકડા સમાજ ભવન ખાતે વાંસદા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ૧૯૯૪થી યુનો અને બુધ્ધિજીવી વર્ગ દ્વારા ઘોષિત કરવામાં આવી હતી. પ્રકૃતિ અને વન પર્યાવરણને બચાવવા માટે આદિવાસી લોકોની જીવન શ્રેણી અપનાવવા માટેની વાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વાંસદાના કુકડા સમાજ ભવનમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની અને વાંસદા કુકડા સમાજના અધ્યક્ષ બાબુભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ ઉજવવામાં આવી હતી. જેમાં અનંત પટેલે જણાવ્યું હતું કે સમાજમાં રહેલા જ્ઞાતિવાદના વાળા દૂર કરી માત્ર અને માત્ર આદિવાસી તરીકે એક થઈને પડકારો ઝીલવા પડશે. આજે ખોટા આદિવાસી પ્રમાણપત્રોની સામે સાચા આદિવાસી તરીકે લડત ચલાવી ખૂબજ જરૂરી છે. હાલમાં થયેલા કસ્ટોડીયલ ડેથ માટે પણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે મોટું આંદોલન કરવાની જરૂરિયાત છે. આ કાર્યક્રમમાં આદિવાસી વાજીત્રોની સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ચિરાગ પટેલ, બારુકભાઇ, વિજય પટેલ, હસમુખભાઈ, ભરતભાઈ, પરભુભાઈ, મનીષ પટેલ વગેરે હાજર રહ્યા હતા.
Related Articles
અનાવિલ અવસાન
સુરત જિલ્લાના પલસાણાના સાંકી કાતે રહેતા અને કામરેજના અબ્રામા ખાતે પિયર ધરાવતા દક્ષાબેન દિલીપભાઇ નાયકનું તારીખ 14 જૂન 2021ના રોજ નિધન થયું છે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું બેસણું કે પ્રાર્થના સભા રાખવામાં આવી નથી.
ચીખલીમાં ગાજવીજ સાથે સાડા ત્રણ ઇંચ વરસાદ
નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં રાત્રિ દરમ્યાન ગાજવીજ સાથે ૩.૩૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે દિવસભર ઘનઘોર વાતાવરણ વચ્ચે મેઘાએ વિરામ લીધો હતો. ચીખલી તાલુકામાં લાંબા વિરામ બાદ ગતરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગત સાંજથી ગાજવીજ શરૂ થઇ ગઇ હતી અને રાત્રે આઠેક વાગ્યાની આસપાસ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું અને મળસ્કેના ચારેક વાગ્યા સુધી […]
વાંસદાની જર્જરીત શાળા રિપેરિંગ કરાવવા માંગ
રજવાડા સમયથી ચાલતી વર્ષો જૂની વાંસદાની કુમારશાળાની નળીયવાળી છતમાંથી પાણી ટપકતા શાળામાં અનેક અગવડો ઊભી થતા શાળાના મુખ્ય શિક્ષકે વાંસદા તાલુકા પંચાયતમાં શાળાના જુના મકાનના ઓરડાનું રિપેરિંગ હાથ ધરવા લેખિત રજૂઆત કરી હતી. વાંસદા તાલુકાના ગાંધીમેદાન પાસે આવેલી રજવાડા સમયથી ચાલતી કુમાર શાળાની છત હજુ પણ નળીયાવાળી હોવાથી ચોમાસામાં પાણી ટપકતા ઓરડામાં ભેજના કારણે પંખા, […]