મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (જેયુડી)ના પ્રમુખ હાફિઝ સઈદના ઘરની બહાર બુધવારે એક શક્તિશાળી કાર બૉમ્બનો વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત અને 20 લોકો ઘાયલ થયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું. આ વિસ્ફોટ જોહર ટાઉનની બીઓઆર સોસાયટીમાં સઈદના નિવાસસ્થાનની બહાર પોલીસ ચોકી પર થયો હતો. પંજાબ પોલીસ પ્રમુખ ઇનામ ગનીએ સઇદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, હાઇ પ્રોફાઇલ વ્યક્તિના ઘરની બહાર પોલીસ ચોકી ન હોત તો ‘મોટું નુકસાન’ થયું હોત. તેમણે કહ્યું કે, કાર બૉમ્બ બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. પંજાબના ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ (આઈજીપી) ગનીએ તેને આતંકવાદી કૃત્ય ગણાવતાં કહ્યું કે, કારમાં વિસ્ફોટક સામગ્રી લગાવાઈ હતી. ઉચ્ચ મૂલ્ય ધરાવતા લક્ષ્યના ઘરની બહાર પોલીસ ચોકી હતી અને કાર પોલીસ ચોકીને પાર કરવામાં અક્ષમ રહી હતી. કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે (સીટીડી) બ્લાસ્ટ સ્થળ અને તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. તેમણે કહ્યું કે, સીટીડી નક્કી કરશે કે આ આત્મઘાતી વિસ્ફોટ હતો કે નહીં. ગનીએ એવો પણ દાવો કર્યો હતો કે, આ વિસ્ફોટમાં ‘વિરોધી’ ગુપ્તચર એજન્સીઓ સામેલ હોઈ શકે છે. ઘાયલ લોકોને જિન્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં છ લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. જિન્ના હોસ્પિટલના ડો.યાહ્યા સુલતાને જણાવ્યું હતું કે, જેમાં ઇજાગ્રસ્તોમાં પોલીસકર્મીઓ પણ શામેલ છે. હોસ્પિટલમાં દાખલ 17 લોકોમાંથી છ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે. ગૃહમંત્રી શેખ રશીદે પંજાબના મુખ્ય સચિવ અને આઇજીને રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. બચાવ દળ 1122ના અનુસાર, આ એક શક્તિશાળી વિસ્ફોટ હતો, જેણે આ વિસ્તારમાં ઘણા મકાનો, દુકાન અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર, વિસ્ફોટમાં નજીકમાં પાર્ક કરેલી એક રિક્ષા અને મોટરસાયકલો સંપૂર્ણ નાશ પામી હતી અને વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે તે દૂરથી સંભળાયો હતો. વિસ્ફોટથી ઘટનાસ્થળ પર અફવા ફેલાઇ હતી કે સઈદ ઘરમાં હાજર હતો. સઇદ (71) આતંકી ધિરાણના કેસમાં લાહોર ખાતે કોટ લખપત જેલમાં સજા ભોગવી રહ્યો છે.
Related Articles
જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કલમ 370 નાબૂદ કરીશું : દિગ્વિજયસિંહ
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાના વિવાદીત મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ ફરીથી એક વખત વિવાદમાં આવ્યા છે. આમ તો તેઓ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર વારંવાર શાબ્દિક પ્રહારો કરતા જ રહે છે અને વારંવાર વિવાદમાં આવ્યા જ કરે છે પરંતુ આ વખતે મધ્યપ્રદેશના મહારાજા એક નવા વિવાદમાં સપડાયા છે. તેમની […]
દેશભરની કોલેજો 1 ઓક્ટોબરથી શરૂ થશે
દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં નવુ શૈક્ષણિક સત્ર ૧ ઓકટોબરથી શરૂ થશે, જ્યારે પ્રવેશની પ્રક્રિયા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે એમ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુજીસી) દ્વારા બહાર પાડવામાં આવેલ એક નવી ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે. યુનિવર્સિટીઓ અને ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે અન્ડરગ્રેજ્યુએટ કોર્સીસ માટેના પ્રવેશની પ્રક્રિયા સીબીએસઇ, આઇસીએસઇ અને તમામ રાજ્ય બોર્ડો દ્વારા […]
મહારાષ્ટ્રમાં મૃત્યુંઆંક 149 પર પહોંચ્યો, બેલ્જિયમમાં પણ પૂર
મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ મૃતદેહો મળી આવવાની સાથે આજે આ પૂર હોનારતનો મૃત્યુઆંક વધીને ૧૪૯ પર પહોંચ્યો છે જેમાં મોટાભાગના લોકો ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં માર્યા ગયા છે.મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે થયેલા ભૂસ્ખલનની ઘટના બાદ અત્યાર સુધીમાં ૯૦ લોકોનાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૩ લોકો ગુમ છે. એમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ […]