ટૂલકિટ કેસમાં ભાજપના આરોપો સામે પલટવાર કરીને કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સાંબિત પાત્રા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. છત્તસીગઢ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ રાયપુરના સિવિલ લાઈન થાણા ખાતે આ એફઆઈઆર નોંધાવી છે. હકીકતે કોરોના કાળમાં રાજકીય દળો વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રાએ કોંગ્રેસ પર એવો આરોપ લગાવ્યો છે કે, તેમની એક ટૂલકિટ દ્વારા મહામારીના આ સમય દરમિયાન વડાપ્રધાન મોદીને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસે આ આરોપોને ખોટા ઠેરવ્યા છે અને સાંબિત પાત્રા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. છત્તસીગઢ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેના આધાર પર પોલીસે એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં એઆઈસીસી, આઈટી રિસર્ચ સેલના લેટરહેડને બોગસ ગણાવીને તે અંગે ખોટી અને મનઘડંત સામગ્રી ઈન્ટરનેટ મીડિયા પર શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આકાશ શર્માએ જણાવ્યું કે, સાંબિત પાત્રાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કોંગ્રેસ પાર્ટીનો નકલી લેટરહેડ શેર કર્યો. જ્યારે ડૉક્ટર રમણ સિંહ પ્રદેશમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
Related Articles
આસામમાં 90 મતદાતા હતા તે બૂથ પર 171 મત પડ્યા
આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર એક મોટી ગેરરીતિ સામે આવી છે. અહીં ફક્ત નોંધાયેલા મતદાતાની સંખ્ય 90 છે, પણ કુલ 171 મત પડ્યા છે. સોમવારે એક અધિકારીએ જણાવ્યું કે આ મતદાન કેન્દ્ર હાફલોંગ વિધાનસભા વિસ્તારમાં આવે છે. આ સ્થળે 1લી એપ્રિલના રોજ બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. હાફલોંગમાં 74 ટકા મતદાન થયું […]
વડોદરાના સુથાર પરિવારના શ્રીજીનું સાળંગપુર હનુમાન સ્વરૂપ
વડોદરાના વાઘોડિયારોડ ખાતે પરિવાર કોસિંગ ખાતે હાર્મની હાઇટ્સ પાછળ પ્રથમ રેસિડેન્સી ખાતે રહેતા અમિત સુથારે પોતાના ઘરમાં સાળંગપુર હનુમાનદાદાના સ્વરૂપમાં શ્રીજીને શણગાર્યા છે. સુથાર પરિવારના આ ગણપતિના દર્શન તમે રૂબરૂ નહીં કરી શકો તો અમારા માધ્યમ થકી કરી શકો છો.(ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં તમે હજી પણ એન્ટ્રી લઇ શકો […]
વડા પ્રધાન મોદીએ કાશીમાં 1400 કરોડના વિકાસ કાર્યો ખૂલ્લા મૂક્યા
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરૂવારે તેમના સંસદીય મત ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે છે. અહીં તેમણે ભારત અને જાપાન અને ભારતના સ્નેહના પ્રતિક સમાન રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ કુલ 1400 કરોડ ઉપરાંતની યોજનાઓનો પાયો નાંખ્યો હતો તેમજ કેટલીક યોજનાના લોકાર્પણ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ખાસિયત […]