રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરના પગલે સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં હવે લગ્ન સમારંભો માટે Digital gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરાયું છે.રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે લગ્ન સમારંભમાં 50 લોકોની જ છૂટ આપવામાં આવી છે. હવે દરેક લગ્ન સમારંભનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ શકશે. તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 20 શહેરોમાં રાત્રે 8 થી 6:00 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.આશિષ ભાટિયાએ વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે રેમડેસિવિર અને ટોસિમીઝુબેમ ઇન્જેક્શન કોઈ એમઆરપી કરતા વધુ ભાવ વેચશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ આવું કરતાં માલુમ પડે તો 100 નંબર ઉપર ફોન કરી તેની જાણ કરી શકે છે. પોલીસ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે.
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર ગ્રામ્ય, કચ્છ, સુરત મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ મનપા ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 30 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ છેલ્લા […]
તૌકતેએ ગુજરાતને ધમરોળ્યું, 17ના મોત
ગુજરાતમાં સોમવારે રાત્રે ઉનાથી પ્રવેશેલા તૌકતે વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદ પણ પડ્યો, જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વાવાઝોડાને લીધે રાજ્યમાં 17 લોકોના મોત થયાની માહિતી મળી છે. ઉપરાંત સંખ્યાબંધ ઘરો અને ઝાડ જમીનદોસ્ત થઈ ગયા છે. ઘણા વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા છે. તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી રાજસ્થાન તરફ […]
હરીપ્રસાદ સ્વામીજીનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન
હરિધામ સોખડાના મંદિર પરિસરમાં આજે દાસના દાસ એવા હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહ સાથે પાલખી યાત્રા નીકળી હતી. તે પછી નિજ મંદિર નજીક હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા . મંદિરના સંતો દ્વ્રારા ચંદનના લાકડાનું સિંહાસન પણ બનાવવામાં આવ્યુ હતુ. હરિપ્રસાદ સ્વામીની પાલખી યાત્રા વખતે હરિ ભકત્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સાથે ચોધાર આસુંએ […]