રાજયમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસ ૭.૮૮ લાખ સુધી પહોચ્યાં છે. હાલમાં રાજયમાં ૭૫,૧૩૪ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૬૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૭૪,૪૮૨ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજયના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ શહેરમાં ૫૪૫ કેસ , વડોદરા શહેરમાં ૩૬૭ , સુરત શહેરમાં ૨૮૪, રાજકોટ શહેરમાં ૧૭૮, જામનગર શહેરમાં ૧૦૨, ભાવનગર શહેરમાં ૬૯ , જુનાગઢ શહેરમાં ૬૮, અને ગાંધીનગર શહેરમાં ૩૫ કેસ નોંધાયા છે. જયારે અન્ય જિલ્લાઓમાં ૨૦૮૮ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં સારવાર દરમ્યાન રાજમાં ૮૭૩૪ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે રાજયમાં દર્દીઓનો રીકવરી રેટ ૮૯.૨૬ ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજયમાં ૭૦૩૭૬૦ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સારવાર દરમ્યાન રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. જેમાં અમદાવાદ શહેરમાં ૭, વડોદરા શહેરમાં ૩, સુરત શહેરમાં ૨, રાજકોટ શહેરમાં ૧, જામનગર શહેરમાં ૪, ભાવનગર શહેરમાં ૧, જુનાગઢ શહેરમાં ૧ દર્દીનુ મૃત્યુ થયુ છે, કોરોનાના કારણે રાજયમાં અત્યાર સુધીમાં ૯૫૭૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
Related Articles
અનાથાશ્રમના બાળકોને હવાઇ સફર કરાવતા સુરતના હીરા ઉદ્યોગપતિ
ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર દેખાવને બિરદાવવા માટે સુરતની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓના માલિકોએ કતારગામ અનાથ આશ્રમમાં રહેતા અને શિક્ષણ તથા રમત-ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર આઠ બાળકોને પસંદ કરી પોતાના નવા નવ સિટર એરક્રાફટમાં સુરત દર્શનની ટુર કરાવી હતી. સુરતના આકાશમાં વીસ મિનિટ સુધી બાળકોને ફેરવી જીવનની પ્રથમ હવાઇ યાત્રાનો સુખદ અનુભવ કરાવ્યો હતો. […]
વલસાડમાં છ ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ
વલસાડમાં ગત મોડીરાતથી શરૂ થયેલા ભારે વરસાદને લઈ સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. રાત્રિના 12 થી 2 કલાક દરમિયાન 3 ઈંચ અને 2 થી 3 કલાક દરમિયાન 2 ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વલસાડ શહેરની સાથે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં જનજીવનને ભારે અસર પહોંચી હતી. માત્ર રાત્રિ દરમિયાન […]
હજીરા એલ એન્ડ ટીમાંથી મહાકાય મશીનરી ચીન મોકલાઇ
હજીરા સ્થિત હેવી એન્જિનીયરિંગ કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ થાઇસેનકૃપ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ જર્મની માટે પહેલીવાર ચીનમાં એક પ્રોજેક્ટ માટે બનાવેલા 4 ક્રિટિકલ પ્રોપીલીન ઓક્સાઇડ (પીઓ) રિએક્ટર્સ રવાના કર્યા છે. આ રિએક્ટરના કેટલાક ટેક્નિકલ પાર્ટ હજીરામાં તૈયાર કરવામાં આવ્યા હતા. ચારેય ટ્યુબ્યુલર રિએક્ટર તૈયાર થતા આજે તેને ચીન રવાના કરવામા આવ્યા છે. એલએન્ડટીના હજી ઉત્પાદન સંકુલમાં tkIS […]