આશીશલતા રામગોબિન, કે જેઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પુત્રના પુત્રીના પુત્રી છે અને સાઉથ આફ્રિકામાં રહે છે, તેમને એક છેતરપિંડી અને બનાવટના કેસમાં સાત વર્ષની જેલની સજા થઇ છે. ડરબનનીએક અદાલતે પ૬ વર્ષીય આશીશલતાને ૬૦ લાખ રેન(૪૪૨૦૦૦ ડૉલર) જેટલી રકમની છેતરપિંડી અને ફોર્જરીના કેસમાં આ સજા સંભળાવી છે. આશીશલતા એ જાણીતા માનવ અધિકારવાદી કાર્યકર ઇલા ગાંધી અનેદિવંગત મેવા રામગોબિનના પુત્રી છે. આશીશલતાના માતા-પિતાએ ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં પોતાના વસવાટ દરમ્યાન સ્થાપવામાં આવેલ ફિનિક્સ વસાહતને ફરીથી સજીવન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યોહતો. આશીશલતા રામગોબિન બે સંતાનોના માતા છે અને સાઉથ આફ્રિકામાં પોતાનો વ્યવસાય કરે છે. તેમની સામે આરોપ હતો કે વેપારી એસ. આર. મહારાજ પાસેથી મોટા નફાનું વચન આપીને ૬૨ લાખ રેન (સાઉથઆફ્રિકાનું ચલણ)ની રકમ એડવાન્સમાં લઇને છેતરપિંડી કરી હતી. મહારાજ સાઉથ આફ્રિકામાં એક મોટી કંપનીના માલિક છે અને વસ્ત્રો, પગરખા વગેરેની આયાત કરે છે આ ઉપરાંત અન્ય કંપનીઓને ધિરાણ આપવાનુંકામ પણ કરે છે. મહારાજને આશીશલતાએ કહ્યું હતું કે પોતે ભારતથી કેટલાક કન્ટેનર મંગાવ્યા છે પરંતુ આયાતનો ખર્ચ અને કસ્ટમ ડ્યુટી ચુકવવામાં તેમને હાલ નાણાકીય મુશ્કેલી છે. મહારાજને પોતાની વાતનો વિશ્વાસઅપાવવા આશીશલતાએ પરચેઝ ઓર્ડર, ઇન્વોઇસ વગેરે પણ બતાવ્યા હતા. જો કે બાદમાં મહારાજને સમજાઇ ગયું હતું કે આ દસ્તાવેજો બનાવટી છે અને તેમની સાથે છેતરપિંડી થઇ છે. ફરિયાદને આધારે આશીશલતાસામે ૨૦૧પમાં કેસ શરૂ થયો હતો જેનો છેવટનો ચુકાદો ડરબન ખાતેની વાણિજ્યિક ગુનાઓ માટેની ખાસ અદાલતે હાલમાં આપ્યો છે. આશીશલતા રામગોબિનને આ ચુકાદા સામે અપીલ કરવાની પણ મનાઇફરમાવવામાં આવી છે.
Related Articles
મિસ યુનિવર્સ બની મેક્સિકોની એન્ડ્રિયા, ચોથા સ્થાને ભારત
મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામે કર્યો છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂંજીએ તેને તાજ પહેરાવ્યો હતો. ફ્લોરિડા ખાતે યોજાયેલી ઈવેન્ટમાં બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી હતી. જ્યારે પેરૂની જેનિક મકેટા સેકન્ડ રનરઅપ રહી હતી. સ્પર્ધામાં ભારતની એડલિન કાસ્ટેલિનો થર્ડ રનરઅપ જ્યારે ડોમિનિકન રિપબ્લિકની કિમ્બરલી પેરેઝ ફોર્થ રનરઅપ બની હતી. મિસ […]
રાષ્ટ્રગીતનું અનાદર એ ગુનો નથી : જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ
એક મહત્વપૂર્ણ ચુકાદામાં જમ્મુ-કાશ્મીર હાઈકૉર્ટે એવો નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું એ રાષ્ટ્રગીતનો ‘અનાદર’ ગણી શકાય છે, પરંતુ તે ગુનો નથી. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકો સામે રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું અથવા ઊભા થવું પરંતુ તેનું ગાન ન કરવા અંગે નોંધાયેલા કેટલાક કેસોને અસર થઈ શકે […]
મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા નિયંત્રણો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારની પેનિક કે અફરા-તફરીભરી સ્થિતિ ન સર્જાય તે માટે “લોકડાઉન” શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો,અલબત તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોઈ લોકડાઉન જેવા જ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત […]