ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહે તેવી શક્યતા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) પ્લસ અને માઇનસ 5 ટકાના માર્જિન સાથે 98 ટકા રહેશે. ઓડિશા, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે એવી સંભાવના છે, પરંતુ દેશના બાકીના ભાગોમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ રહેવાની સંભાવના છે. તેમણે જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિનાના વરસાદના પ્રથમ સમયગાળાની આગાહી જાહેર કરતાં આ વાત કહી હતી. વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રાજીવને કહ્યું કે, ચોમાસું એલપીએના 98 ટકા રહેશે, જે સામાન્ય વરસાદ છે. તે દેશ માટે ખરેખર ખુશખબર છે અને ભારતને કૃષિ ઉત્તમ ઉત્પાદન કરવામાં મદદ કરશે. એલપીએ, 1961-2010 દરમિયાન દેશમાં મોસમનો સરેરાશ વરસાદ, 88 સે.મી.ને આધારે નક્કી કરવામાં આવે છે. આ સમાચાર અર્થતંત્રને ઉત્તેજીત કરવામાં મદદરૂપ થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું એ દેશની અર્થવ્યવસ્થાના પ્રાથમિક પાયા પૈકી એક છે, જે મોટાભાગે કૃષિ અને તેની સાથી પ્રવૃત્તિઓ પર આધારિત છે. દેશના મોટા ભાગો ખેતી માટે અને જળાશયો ભરવા માટે ચાર મહિનાની વરસાદની સિઝન પર આધાર રાખે છે. આ પ્રથમ વખત છે જ્યારે આઇએમડીએ અવકાશી વિતરણ અંગે કોઈ ચોક્કસ આગાહી કરી છે.
Related Articles
જાણો રાજ્યસભા અધ્યક્ષ વૈકયા નાયડુ થયાં કેમ થયા ભાવુક?
સંસદના ધમાકેદાર ચોમાસુસત્ર દરમિયાન રાજ્યસભામાં થયેલા હંગામાના કારણે રાજ્યસભાના અધ્યક્ષ વૈકૈયા નાયડું ભાવુક થઇ ગયા હતા. તેમણે ગૃહમાં વિપક્ષના વર્તનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, સંસદમાં જે થઇ રહ્યું છે તેનાથી તેઓ ખૂબ જ દુ:ખી છે. મંગળવારે જ્યારે કેટલાક સાંસદો ટેબલ પર આવ્યા તો ગૃહની ગરિમાને નુકસાન થયું છે અને હું આખી રાત ઊંઘી […]
ફ્રીડમ બર્ડ્સ મંડળ દ્વારા શ્રીમાન દગડુ શેઠ હલવાઇની થીમ પર આયોજન
સુરતના મોરાભાગળ વિસ્તારમાં આવેલી દેવઆશિષ સોસાયટીના ફ્રીડમબર્ડ્સ યુવક મંડળ દ્વારા ભવ્ય મહેલમાં અષ્ટવિનાયકને બિરાજમાન કરાવી અનોખું લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ગ્રુપના યુવાનોની ભક્તિ ધન્યતાને પ્રાપ્ત છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ […]
દિલ્હીમાં એક અઠવાડિયા માટે લંબાવાયું લોકડાઉન
દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દરમાં ઘટાડો થયો છે. ઘટડતાં સંક્રમણ દર વચ્ચે દિલ્હી સરકારે ફરી એક વાર લોકડાઉન લંબાવવાનું નક્કી કર્યું છે. અહીં લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવાયું છે. હવે દિલ્હીમાં ૩૧ મે સુધી પ્રતિબંધો લાગુ રહેશે.૧૮ એપ્રિલથી દિલ્હીમાં શરૂ થયેલું લોકડાઉન ૨૪ મેના રોજ પૂરું થવાનું હતું, પરંતુ આ પહેલાં સીએમ કેજરીવાલે […]