દાહોદમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવેલા સીએમ વિજય રૂપાણીએ હાલમાં ગુજરાતમાં લોકડાઉનની કોઈ જરૂરત નહીં હોવાનું જણાવ્યુ હતું. રૂપાણીએ કહ્યુંહતું કે,હાલમાં લોકડાઉનની જરૂરનથી, કારણકે,8 મનપા સહિત 20 શહેરોમાં રાત્રીકર્ફ્યૂઅમલમાં છે. જયારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધકરાવીદેવાઈ છે. તેવી જ રીતે ધાર્મિ કસંસ્થાઓ, મોલ, થિયેટર, જીમ અને ક્લબ પણ બંધ કરાવી દેવામાં આવ્યાછે. અલબત્ત , જરૂરી જણાશે તો સરકાર લોક ડાઉન લગાવવામાં આવશે. રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દાહોદ પહોંચ્યા હતા. તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે. રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની આ સ્થિતિમાં લોકોએ બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા અને સમયસર વેક્સિન લઇ લેવા અપીલ પણ કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોર ટુ ડોર સર્વેલન્સ વધારીને કોવિડના દર્દીઓને સમયસર ટ્રેસ કરી લેવા આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.
Related Articles
સેનેટ પદ રદ થતાં પ્રાધ્યાપકોનો નર્મદ યુનિવર્સિટી ખાતે દેખાવ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીથી છેડો ફાડી અલગ ખાનગી યુનિવર્સિટીમાં તબદીલ થયેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિવર્સિટી તેમજ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રિન્સિપલ સહિત ટીચર્સને યુનિવર્સિટીએ સેનેટ સહિત અલગ અલગ હોદ્દા ઉપરથી દૂર કરી ફારેગ કરી દેતા આજે અખિલ ભારતીય શૈક્ષિક સંઘ મેદાનમાં આવ્યું હતું. અખિલ ભારતીય શૈક્ષિક સંઘે યુનિવર્સિટીના આ પગલાનો વિરોધ વ્યકત કરી […]
સુરતમાં વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પ
કોરોના મહામારીનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્પાપાર, ધંધા, વ્યવસાય કે અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોને રસીકરણના છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે આજરોજ રવિવારના દિવસે સુરત મહાનગરપાલિકા અને જિલ્લામાં ખાસ વેક્સિનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્ષટાઈલ, વાણિજ્યિક સંસ્થાઓ, જીમ, કોચિંગ સેન્ટર્સ સાથે સંકળાયેલ લોકોએ મોટી સંખ્યામાં વેક્સિન લીધી […]
આજથી જ્વેલરીમાં ફરજિયાત હોલ માર્કિંગ
મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટમાં હોલ માર્કિંગને લઇ કેસ ચાલી રહ્યો હોવા છતાં કેન્દ્ર સરકારમાં ગ્રાહકો બાબતના મંત્રાલય દ્વારા આવતી કાલે 16 જૂનથી જ્વેલરી પર હોલ માર્કિંગ ફરજિયાત કર્યું છે. તેને લઇને જ્વેલર્સની મૂંઝવણ વધી છે. સુરતમાં નાના-મોટા 1 હજારથી 1200 જ્વેલર્સ હોવા છતાં BIS માન્ય માત્ર 6થી 7 હોલ માર્કિંગ સેન્ટર છે જયારે દક્ષિણ ગુજરાતમાં […]