રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 8920 કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કુલ 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત મનપામાં 24, અમદાવાદ મનપામાં 25, રાજકોટ મનપામાં 8, વડોદરા મનપામાં 8, રાજકોટ ગ્રામ્યમાં5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં, જામનગરમાં, જામનગર મનપામાં, સાબરકાંઠામાં અને સુરત ગ્રામ્યમાં 2-2 તેમજ અમદાવાદ ગ્રામ્યમાં, દેવભૂમિ દ્વારકા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય અને વલસાડમાં એક –એક કુલ 94 દર્દીઓના મૃત્યું થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 થયો છે. બીજી તરફ શુક્રવારે 3387દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,29,781 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 85.73 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન શુક્રવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 2842, સુરત મનપામાં 1522, વડોદરા મનપામાં 429, રાજકોટ મનપામાં 707, ભાવનગર મનપામાં 112, ગાંધીનગર મનપામાં 69, જામનગર મનપામાં 192 અને જૂનાગઢ મનપામાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 398, મહેસાણામાં 330, ભરૂચમાં 173, નવસારીમાં 117, બનાસકાંઠામાં 110 કેસ, વડોદરા ગ્રામ્યમાં 171, જામનગર ગ્રામ્યમાં 122 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 49,737, વેન્ટિલેટર ઉપર 283 અને 49,454 દર્દીઓ સ્ટેબલ છે. પ્રથમ અને બીજો ડોઝ મળી કુલ 1,00,130,881 55 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. શુક્રવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 47,571 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
Related Articles
ડાયમંડ બુર્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે: મુખ્યમંત્રી
મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો 46મો ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સુરતની લી-મેરેડિયન હોટેલ ખાતે યોજાયો હતો. આ સમારોહને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હીરા-ઝવેરા ઉદ્યોગના ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં આજનો દિવસ ગુજરાતની સિધ્ધિના ઉત્સવ સમાન છે. ગુજરાતે હીરા ઉદ્યોગ પછી હવે જ્વેલરી […]
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ નહીં ઉજવાઇ
ગુજરાતભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી ગત વર્ષની જેમ આ વર્ષે પણ નહીં યોજાય. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી આ વર્ષે પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતે કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો છે. ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાને […]
કોરોનામાં ગુજરાતમાં 776 બાળકો નિસહાય બન્યા
રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી રાજયમાં બાળ સહાય યોજનાનો અમલ શરૂ કરી દેવાયો છે.ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરનાં ૭૭૬ બાળકોને દરમહિને […]