ગુજરાત વિધાનસભાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાયા બાદ રવિવારે થયેલી મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો ૪૫૪૩૨ મતોથી વિજય થયો હતો. ગાંધીનગરમાં ચૂટણી પંચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે મોરવા હડફ બેઠક ર ભાજપના નિમિષાબેન સુથારને ૬૭૧૦૧ મતો મળ્યા હતા. જ્યારે કોંગીના સુરેશ કટારાને ૨૧૬૬૯ મતો મળ્યા હતા. જેના પગલે કટારાએ પોતાની હાર સ્વીકારી લીધી હતી. ગત તા.૧૭મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. આ બેઠક માટે ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જેમાં ૪૨.૬૦ ટકા મતદાન થયું હતું.૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર ખાંટનો વિજય થયો હતો. જો કે તેમનું આદિવાસી તરીકેનું પ્રમાણ પત્ર પડકારવામાં આવ્યુ હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તેમનું આદિવાસી તરીકેનું પ્રમાણ પત્ર રદ કરાયું હતું. અલબત્ત બિમારીના કારણે જાન્યુ. ૨૦૨૧માં ખાંટનું નિધન થયું હતું. જેના પગલે આ બેઠક ખાલી થવા પામી હતી. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારના વિજય અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રજાકિય કાર્યો તેમજ ગુજરાતન વિકાસની યાત્રામાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહન પ્રદાનના પગલે ફરીથી મતદારોએ ભાજપમાં વિશ્વાસ વ્યકત્ત કર્યો છે. તેવી જ રીતે વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારે પ્રહિતના નિર્ણયો લીધા છે.
Related Articles
આકારણી મુદ્દે બીલીમોરા પાલિકાના શાસકો અને ચીફ ઓફિસર આમને સામને
બીલીમોરા (BILIMORA) નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ(BJP)ના શાસકો આમને સામને આવી ગયા છે. વિવાદના મૂળમાં પોતાને આકારણી કરવાની સત્તા હોય પાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને સદસ્યોએ ચીફ ઓફિસરની આ સત્તા સામે પડકાર ફેંકતા મામલો સુરતની પ્રાદેશિક કમિશનરની કોર્ટમાં ચીફ ઓફિસર લઈ જતાં કમિશનરે પાલિકાના સત્તાધીશોને કારણદર્શક નોટિસ ફટકારી છે.સુરત ખાતે આવેલી પાલિકાની દક્ષિણ ઝોનના […]
મહેસાણામાં વીજળી પડતા બેનાં મોત, ઉમરગામમાં પાંચ ઇંચ વરસાદ
મંગળવારે મહેસુલ વિભાગના દ્વારા વેધર વોચ ગ્રુપની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતઅને દક્ષિણ ગુજરાત(SOUTH GUJRAT)ના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે વલસાડ જિલ્લાનાઉમરગામ(UMARGAM)માં સાડા દસ ઈંચ વરસાદ […]
વડોદરાના કુંભારવાડા યુવક મંડળના બર્ફિલા પહાડની થીમ
વડોદરાના પાણીગેટ સ્થિત કુંભારવાડા સ્થિત કુંભારવાડા યુવક મંડળ દ્વારા હિમાલયની પર્વતમાળા બનાવી તેમાં ગણનાયકને બિરાજમાન કરાવવામાં આવ્યાં છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)