આશીશલતા રામગોબિન, કે જેઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પુત્રના પુત્રીના પુત્રી છે અને સાઉથ આફ્રિકામાં રહે છે, તેમને એક છેતરપિંડી અને બનાવટના કેસમાં સાત વર્ષની જેલની સજા થઇ છે. ડરબનનીએક અદાલતે પ૬ વર્ષીય આશીશલતાને ૬૦ લાખ રેન(૪૪૨૦૦૦ ડૉલર) જેટલી રકમની છેતરપિંડી અને ફોર્જરીના કેસમાં આ સજા સંભળાવી છે. આશીશલતા એ જાણીતા માનવ અધિકારવાદી કાર્યકર ઇલા ગાંધી અનેદિવંગત મેવા રામગોબિનના પુત્રી છે. આશીશલતાના માતા-પિતાએ ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં પોતાના વસવાટ દરમ્યાન સ્થાપવામાં આવેલ ફિનિક્સ વસાહતને ફરીથી સજીવન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યોહતો. આશીશલતા રામગોબિન બે સંતાનોના માતા છે અને સાઉથ આફ્રિકામાં પોતાનો વ્યવસાય કરે છે. તેમની સામે આરોપ હતો કે વેપારી એસ. આર. મહારાજ પાસેથી મોટા નફાનું વચન આપીને ૬૨ લાખ રેન (સાઉથઆફ્રિકાનું ચલણ)ની રકમ એડવાન્સમાં લઇને છેતરપિંડી કરી હતી. મહારાજ સાઉથ આફ્રિકામાં એક મોટી કંપનીના માલિક છે અને વસ્ત્રો, પગરખા વગેરેની આયાત કરે છે આ ઉપરાંત અન્ય કંપનીઓને ધિરાણ આપવાનુંકામ પણ કરે છે. મહારાજને આશીશલતાએ કહ્યું હતું કે પોતે ભારતથી કેટલાક કન્ટેનર મંગાવ્યા છે પરંતુ આયાતનો ખર્ચ અને કસ્ટમ ડ્યુટી ચુકવવામાં તેમને હાલ નાણાકીય મુશ્કેલી છે. મહારાજને પોતાની વાતનો વિશ્વાસઅપાવવા આશીશલતાએ પરચેઝ ઓર્ડર, ઇન્વોઇસ વગેરે પણ બતાવ્યા હતા. જો કે બાદમાં મહારાજને સમજાઇ ગયું હતું કે આ દસ્તાવેજો બનાવટી છે અને તેમની સાથે છેતરપિંડી થઇ છે. ફરિયાદને આધારે આશીશલતાસામે ૨૦૧પમાં કેસ શરૂ થયો હતો જેનો છેવટનો ચુકાદો ડરબન ખાતેની વાણિજ્યિક ગુનાઓ માટેની ખાસ અદાલતે હાલમાં આપ્યો છે. આશીશલતા રામગોબિનને આ ચુકાદા સામે અપીલ કરવાની પણ મનાઇફરમાવવામાં આવી છે.
Related Articles
ઓડિશામાં 5મેથી 14 દિવસનું લોકડાઉન
ઓડિશા સરકારે કોરોનાના બેકાબૂ કેસોને કાબૂમાં લેવા માટે 5મેથી રાજ્યભરમા 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. રવિવારે એક પરિપત્રમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય સચિવ એસસી મહાપાત્રાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે 5મેથી 19મે સુધી રાજ્યમાં લોકડાઉન અમલમાં આવશે. લોકડાઉન ઉપરાંત શહેરી વિસ્તારોમાં 15મી મેથી વિકએન્ડ શટડાઉન પણ અમલી થશે તેમ […]
છત્તીસગઢમાં નક્સલી હુમલામાં પાંચ જવાન શહિદ
છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે. આ પૈકી 4 CRPF અને એક DRG જવાન છે. 3 નક્સલવાદીને પણ ઠાર કરવામાં આવ્યા છે. તર્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં અથડામણ ચાલુ છે. SP કમલ લોચન કશ્યપે આ ઘટનાની પૃષ્ટિ કરી છે. આ ઘટના ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ […]
તાલીબાને કાબૂલ નજીકના ગઝની પર પણ કબજો કર્યો
તાલીબાને કાબૂલની નજીકનું એક વ્યુહાત્મક પ્રાંતીય પાટનગર કબજે કર્યું છે અને અફઘાનિસ્તાનના ત્રીજા ક્રમના સૌથી મોટા શહેરની સંરક્ષણ હરોળ તોડી છે, જે સાથે અમેરિકાના લશ્કરી મિશનનો અહીં અંત આવે તેનાથોડા સપ્તાહો પહેલા જ દેશની મુશ્કેલીગ્રસ્ત સરકારનું શાસન વધુ સંકોચાયું છે. ગઝનીને કબજે કરીને તાલીબાનોએ અફઘાન રાજધાનીને દેશના દક્ષિણી પ્રાંતો સાથે જોડતો મહત્વનો ધોરીમાર્ગ કાપી નાખ્યો […]