અરબ સાગરમાંથી ઉઠેલું આ વર્ષનું પહેલુ ચક્રવાતી તોફાન ટૌકતે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેના કારણે કેરળના કોટ્ટાયમ કિનારે શુક્રવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વધારે વિકરાળ બનશે અને 18 મેની સવારે તે ગુજરાત સુધી પહોંચશે તેવો અણસાર છે. આ કારણે ગુજરાતમાં પણ ભારે તબાહીની આશંકા જણાઈ રહી છે. આ બધા વચ્ચે NDRFની 53 ટીમોને રાહત કાર્ય માટે તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. ટૌકતેના કારણે શુક્રવારે કોટ્ટાયમ ખાતે ભારે વરસાદ થયો હતો. કેન્દ્રીય જળ આયોગના અહેવાલ પ્રમાણે કોટ્ટાયમ ઉપરાંત દક્ષિણ કેરળના કેટલાક ક્ષેત્રોમાં સવારે 8:30 વાગ્યાથી ભારે વરસાદ નોંધાયો હતો. એક અંદાજ પ્રમાણે જેમ-જેમ તોફાન આગળ વધશે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભારે પવન ફુંકાશે.
Related Articles
નહીં અટકે સેન્ટ્રલ વિસ્ટાનું કામ, અરજદારને એક લાખનો દંડ : હાઇકોર્ટ
દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં મુકાય. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવા ઈનકાર કરી દીધો છે. તે સિવાય કોર્ટે અરજીકર્તા વ્યક્તિને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે […]
ભાગેડુ મેહુલ ચોક્સી કહે છે હું દેશ છોડીને નથી ભાગ્યો
પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયેલા અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીએ કહ્યું છે કે તે ભારતીય એજન્સીઓના ભયથી ભાગતો નથી. મેહુલ ચોકસીએ દેશ છોડવાનું કારણ આપતા કહ્યું કે તેણે સારવાર માટે દેશ છોડ્યો છે. તેણે પોતાને કાયદાનું સમ્માન કરનાર નાગરિક પણ […]
હું ભારતના વડાપ્રધાનને મળ્યો છું નવાઝ શરીફને નહીં : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત થોડા દિવસ પહેલા જ નક્કી થઇ ગઇ હતી પરંતુ જ્યારથી આ બંને મળવાના હોવાની બહાર આવી હતી ત્યારથી જ જુદા જુદા માધ્યમોની આ મુલાકાત પર નજર હતી. આ તમામ અટકળો વચ્ચે મંગળવારે આ બંને વચ્ચે મુલાકાત યોજાઇ હતી એટલું […]