દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સિનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ રાજ્યોમાં વેક્સિનના અભાવે રસી મૂકવાની કામગીરી ધીમી પડી ચુકી છે. આવામાં વેક્સિનને લઈને રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ પોતાના એક ટ્વિટમાં લોકોને મફત વેક્સિન માટે અવાજ ઉઠાવવાની અપીલ કરીને કહ્યુ છે કે, કોરોના સામે વેક્સિન જ સૌથી મોટુ સુરક્ષા કવચ છે. દેશના દરેક લોકોને મફત વેક્સિન મળે તે માટે અવાજ ઉઠાવવાની જરુર છે. કેન્દ્ર સરકારને જગાડવાની પણ જરુર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ દ્વારા મોદી સરકારને સતત ઘેરવામાં આવી રહી છે અને તેમાં પણ રાહુલ ગાંધી વેક્સિન અંગે કેન્દ્ર સરકાર સામે અવાર નવાર સવાલો કરી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધી પણ પાછળ નથી. વેક્સિનના મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ સરકારને સવાલોના ઘેરામાં ઉભી કરી છે. સોમવારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની ઝીરો વેક્સિન પોલિસી ભારત માતાની છાતીમાં ખંજર મારવા બરાબર છે. વેક્સિનેશન અભિયાનની વાત કરવામાં આવે તો ભારતમાં અત્યાર સુધીમાં 21.85 કરોડ લોકોને કોરોનાની વેક્સિન મુકાઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 23 લાખ ઉપરાંત લોકોને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 17.34 કરોડ લોકોને પહેલો ડોઝ અને 4.51 કરોડ લોકોને બે ડોઝ અપાઈ ચૂક્યા છે.
Related Articles
અઢી વર્ષ પછી અયોધ્યાનું રામમંદિર ભક્તો માટે ખૂલ્લુ મૂકાશે
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યોજના અનુસાર આગળ વધી રહ્યું છે. તેમજ વર્ષ 2023ના અંત સુધીમાં ભક્તોને ભગવાનના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. એમ રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. પરંતુ, સંપૂર્ણ મંદિર સંકુલ વર્ષ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. ભવ્ય પ્રોજેક્ટની વિગતો શેર તેઓએ કહ્યું કે, મુખ્ય મંદિર ત્રણ માળનું […]
વડા પ્રધાન મોદીએ કાશીમાં 1400 કરોડના વિકાસ કાર્યો ખૂલ્લા મૂક્યા
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરૂવારે તેમના સંસદીય મત ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે છે. અહીં તેમણે ભારત અને જાપાન અને ભારતના સ્નેહના પ્રતિક સમાન રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ કુલ 1400 કરોડ ઉપરાંતની યોજનાઓનો પાયો નાંખ્યો હતો તેમજ કેટલીક યોજનાના લોકાર્પણ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ખાસિયત […]
70 વર્ષમાં કોંગ્રેસ ઊભી કરેલી મિલકતો વેચવામાં આવી રહી છે : રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહત્વના સેકટરોમાંની મિલકતોને મોનેટાઇઝ કરવાની કેન્દ્રની હિલચાલને આજે વખોડી હતી અને જણાવ્યું હતું કે મોદી પ્રશાસન અગાઉની સરકારે દ્વારા ૭૦ કરતા વધુ વર્ષોમાં પ્રજાના નાણાથી બંધાયેલ દેશના મુગટના રત્નો વેચવાની પ્રક્રિયામાં છે. અહીં એક પત્રકાર પરિષદને દેશના ભૂતપૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની સાથે સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ […]