દુનિયાના નકસામાં ખૂબ જ નાના પરંતુ તમામ ક્ષેત્રે મોટું નામ ધરાવતા દેશ ઇઝરાયલના રાજકારણમાં ફરી એક વખત ગરમાટો આવી ગયો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેત્નયાહુના એક દશકાથી ચાલી આવતા શાસનનો હવે અંત આવિ ગયો છે. દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાયલના નવા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. આ સાથે જ 12 વર્ષથી બેન્જામિન નેત્નયાહુનો જે કાર્યકાળ ચાલી આવતો હતો તેનો પણ અંત આવી ગયો છે. ઇઝરાયેલના નવા વડા પ્રદાન અને સ્પેશિયલ ફોર્સમાં કમાન્ડો રહી ચૂકેલા બેનેટને ઇઝરાયલના નવા વડા પ્રધાન બનવા બદલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી હતી. એટલું જ નહીં તેમણે ઇઝરાયેલના તત્કાલિક વડા પ્રધાન બેન્જામિન નેત્નયાહુનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ઇઝરાયેલના વડા પ્રધાન બનવા માટે નફ્તાલી બેનેટને ખૂબ ખૂબ અભિનંદન, અમે ઇઝરાયલ સાથેના રાજનૈતિક સંબંધોના 30 વર્ષ પૂર્ણ કરવા તરફ જઇ રહ્યાં છે. અને આ પ્રસંગે બંને દેશો વચ્ચે રણનિતીમાં હિસ્સેદારી વધે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય તે માટે હું તમારી સાથે મુલાકાત કરવા ઉત્સુક છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફળ કાર્યકાળની સમાપ્તી બદલ તત્કાલિકન વડા પ્રધાન નેત્નયાહુના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, ભારત અને ઇઝરાયેલ વચ્ચેની રણનિતીમાં અંગત રીતે ધ્યાન આપવા બદલ તેઓ તેમના ઋણી રહેશે. તેમણે બેન્જામિન નેત્નયાહુનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલની સંસદમાં 120 સબ્યો છે અને નવી સરકાર માટે રવિવારે મતદાન થયું હતું જેમાં 60 સભ્યોએ બેન્જામિન નેત્નયાહુના વિરોધમાં મતદાન કર્યું હતું જ્યારે 59 સભ્યોએ તેમની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યાં હતાં. નવી રચાયેલી સરકારમાં કુલ 27 મંત્રીઓ છે જે પૈકી 9 મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવી સરકાર રચવા માટે અલગ અલગ વિચારધારા ધરાવતી પાર્ટીઓ એક થઇ ગઇ છે. સૌથી નવાઇની વાત તો એ છે કે, ઇઝરાયલથી બિલકુલ વિપરિત વિચારધારા ધરાવતી આબર સમુદાયને પાર્ટીએ પણ નવી સરકારને સમર્થન આપ્યું છે. યેશ એદિત પાર્ટીના મિકિ લેવીને સ્પીકર પદે ચૂંટી કાઢવામાં આવ્યા છે અને તેમના સમર્થનમાં 67 મતો પડ્યા છે. હવે નવા વડા પ્રધાન બનતા ઇઝરાયેલ અને ભારત વચ્ચે કેવા સંબંધ રહેશે તેની પર સમગ્ર દુનિયાની નજર છે.
Related Articles
માર્ક હેલિકોપ્ટર્સ ખરીદવા સેનાને મંત્રાલયની મંજૂરી
સંરક્ષણ મંત્રાલયે બુધવારે રૂ. 13,165 કરોડના સૈન્ય સાધનો ખરીદવાની મંજૂરી આપી હતી જેમાં દેશમાં બનાવેલા 25 એએલએચ માર્ક-3 હેલિકોપ્ટર પણ સામેલ છે જેથી ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો થાય.આધુનિક હળવા હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિ. (એચએએલ) પાસેથી ખરીદવામાં આવશે જેનો ખર્ચ રૂ. 3850 કરોડ આવશે જ્યારે રોકેટ દારૂગોળાને જથ્થાની કિંમત રૂ. 4962 કરોડ થશે, એમ સંરક્ષણ […]
પીએમ કેર્સ ઓક્સિકેર સિસ્ટમના દોઢ લાખ યુનિટ ખરીદશે
રૂ. 322.5 કરોડના ખર્ચે ઑક્સિકેર સિસ્ટમ્સના 1,50,000 એકમો મેળવવા માટે પીએમ-કેર્સ ફંડે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ વિક્સાવેલી આ એક સવ્રગ્રાહી સિસ્ટમ છે જે દર્દીઓને અપાતો ઑક્સિજનને એમના એસપીઓટુ લેવલ્સને પારખીને એના આધારે નિયંત્રિત કરે છે. આ સિસ્ટમને બે રૂપરેખામાં વિક્સાવાઇ છે. મૂળ આવૃત્તિમાં 10 લિટરનું એક ઑક્સિજન સિલિન્ડર, એક પ્રેસર રેગ્યુલેટર કમ ફ્લો કન્ટ્રૉલર, એક […]
દેશને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા
ત્રણ મહિલા જજો સહિત નવ નવા ન્યાયમૂર્તિઓની નિમણૂક આજે કરવામાં આવી હતી, જેમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સપ્ટેમ્બર ૨૦૨૭માં બનવા માટેની હરોળમાં છે. રાષ્ટ્રપતિ કોવિંદે દેશની સર્વોચ્ચ અદાલતના આ નવા ન્યાયાધીશોના નિમણૂક પત્રો પર હસ્તાક્ષર કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં મહત્તમ ૩૪ ન્યાયાધીશોની નિમણૂકની જોગવાઇ છે અને તે રીતે જોતા હજી ત્યાં […]