કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોન હવે ડીએપીની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી મળશે. સબસિડી વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને ડીએપીની એક બોરી હવે 2,400 રૂપિયાના બદલે 1,200 રૂપિયામાં જ મળશે. સરકાર આ સબસિડી માટે 14,775 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મૂલ્ય વૃદ્ધિ છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે. ખેડૂતોની કલ્યાણ એ સરકારની સર્વોચ્ય પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ બુધવારે ખાતરની કિંમત મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીને પ્રેઝન્ટેશન દ્વારા ખાતરની કિંમતો વિષય પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
Related Articles
નિરંજની અખાડાએ 15 દિવસ પહેલાં જ કુંભ પૂર્ણ થયો હોવાની જાહેરાત કરી
કુંભમેળાના આયોજન વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નિરંજની અખાડાના સચિવ રવીન્દ્ર પુરીએ જાહેરાત કરી છે કે તેમના માટે કુંભમેળો પૂરો થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે કુંભનું મુખ્ય શાહી સ્નાન પૂરું થઈ ગયું છે અને તેમના અખાડાના સાધુ-સંતોમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં છે.કોરોનાની સ્થિતિને જોતાં નિરંજની અખાડા બાદ અન્ય 5 સંન્યાસી […]
મેડિકલ કોલેજો અને નોકરીઓમાંના મરાઠા આરક્ષણ ગેરબંધારણીય
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાંઆવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા આરક્ષણ 50 ટકા સીમાનું ઉલ્લંઘનકરે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક […]
ટૌકતેના કારણે કેરળના કોટ્ટાયમ કિનારે ભારે વરસાદ
અરબ સાગરમાંથી ઉઠેલું આ વર્ષનું પહેલુ ચક્રવાતી તોફાન ટૌકતે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેના કારણે કેરળના કોટ્ટાયમ કિનારે શુક્રવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વધારે વિકરાળ બનશે અને 18 મેની સવારે તે ગુજરાત સુધી પહોંચશે તેવો અણસાર છે. આ કારણે ગુજરાતમાં પણ ભારે તબાહીની આશંકા જણાઈ […]