કોરોનાના કેસો હવે ઘટીને 695 સુધી આવી જતાં રાજ્ય સરકારે મીની લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવા નિર્ણય લીધો છે. તા. ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે, આ નિયંત્રણો તા. ૧૧ જૂનથી ૨૬મી જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. આજે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન 2021 થી ૨૬ જૂન ના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે. જયારે ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે. આ ઉપરાતં કોર કમિટી દ્વ્રારા 36 શહેરોમાં કોરોના રાત્રી કફર્યુ પણ લંબાવવાનો નિર્ણય લેવાયો છે.રાત્રી કર્ફ્યુનો અમલ તા. 11 જૂન રાત્રે ૯ થી તા. ૨૬ જુન ૨૦૨૧ ના સવારે ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કફર્યુનો અમલ કરવાનો રહેશે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 8920 કેસ: 94ના મોત
રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 8920 કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કુલ 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત મનપામાં 24, અમદાવાદ મનપામાં 25, રાજકોટ મનપામાં 8, વડોદરા મનપામાં 8, રાજકોટ ગ્રામ્યમાં5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં, […]
સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ : ગલકુંડમાં યુવકને ઇજા
આજરોજ સાપુતારા સહિત ગલકુંડ, શામગહાન અને તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે પડેલ વરસાદમાં વૃક્ષ ધરાશય થતાં એક ઈસમને ગંભીર ઇજા થઇ હતી. સાપુતારાના ગલકુંડ અને શામગહાનના તળેટી વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ઠેર ઠેર ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ગલકુંડ ગામે ઝાડ તૂટી પડવાથી […]
સોનીફળિયા, સુરતના અંકુર ગાંધીના ઝૂંપડીની થીમ પર શ્રીગણેશ
(અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા) સુરતના સોનીફળિયા વિસ્તારમાં આવેલા પાણીની ભીંત ખાતે રહેતા અંકુર ગાંધીએ તેમના ઘરમાં જ ઝૂંપડીની થીમ પર ગણેશજીનું સુંદર આયોજન કર્યું છે. આ ગણેશ ભક્તનો ઉત્સાહ વધારવા તેમના ગણપતિને વધુમાં વધુ લાઇક આપો ( ખાસ નોંધ..આ સ્પર્ધામાં જોડાવા માટે 93132 26223 ઉપર ગણપતિનો ફોટો, મંડળ કે વ્યક્તિગત નામ, સંપૂર્ણ […]