રાજ્યના ચૂંટણીપંચ દ્વારા પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી જગ્યા માટે મધ્યસ્થ ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં વલસાડ નગરપાલિકામાં ખાલી પડેલી 5 બેઠકની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. જેના પગલે પાલિકામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ પાલિકાના વોર્ડ નં.1 ના સભ્ય ઉજેશ પટેલ, વોર્ડ નં..5ના સભ્ય પ્રવીણ કચ્છી, વોર્ડ નં.2 ના સભ્ય અને પાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા, ઉપરાંત વોર્ડ નં. 6ના સભ્ય યસેશ માલીને સામાન્ય સભામાં હોબાળો અને અસભ્ય વર્તન કરવા બદલ સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જ્યારે વોર્ડ નં. 1ના એક પાલિકા સભ્યનું કોરોનામાં નિધન થયું હતું. આમ કુલ 5 વોર્ડ બેઠકની પેટા ચૂંટણી આગામી 3જી ઓક્ટો.યોજાશે. જેના પગલે પાલિકા વર્તુળમાં ચૂંટણીલક્ષી વાતાવરણ શરૂ થઈ ચૂક્યું છે.
Related Articles
પારડીમાં ગણેશોત્સવમાં ભાગ લેતા મંત્રી રમણ પાટકર
પારડીમાં કોરોનાના લાંબા સમય બાદ આ વર્ષે સાંઈ શાંગ્રીલા સોસાયટીમાં ગણેશોત્સવ ના બીજેદિવસે વનઆદિજાતિ મંત્રી રમણ પાટકરે મુલાકાત લઇ શ્રીજીના દર્શન કર્યા હતા. તેમની જોડે મહેશ ભટ્ટ પણ આવ્યા હતા. ગણપતિજીના દર્શન કર્યા બાદ મંત્રી રમણ પાટકર સોસાયટીના પ્રમુખ અમૃત પટેલ, ભદ્રેશ પટેલ, અશોક પ્રજાપતિ, પૃથ્વીસ પટેલ, અમિત દેસાઈ, ધર્મેશ મોદી તેમજ સોસાયટી બાળકો અને […]
વલસાડ રેલવે ગરનાળામાં પાણી ભરાતાં લોકો ત્રાહિમામ
વલસાડના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ રહેતા લીલાપોર વેજલપોર ગુંદલાવ ચોકડી રસ્તો બંધ થતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ તાલુકાના લીલાપોર વેજલપુર થઈને ગુંદલાવ ચોકડી સુધી જીઆઇડીસી કે બીજે જનારા અનેક લોકો આ ટૂંકા માર્ગનો ઉપયોગ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ માર્ગમાં 333 નંબરનો રેલવે અંડરપાસ આવેલો છે. જેમાં ભરપૂર વરસાદી પાણી […]
વલસાડમાં પાંચ દિવસના ગણપતિનું વિસર્જન
વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બિરાજમાન શ્રીજીનું પાંચમા દિવસનું ગૌરી વિસર્જન વાજતેગાજતે અશ્રુભીની આંખે વલસાડની ઔરંગા નદી અને વાંકી નદીમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગણેશોત્સવની મંજૂરી આપવામાં આવી છે આ વર્ષે ગણેશોત્સવમાં ઘરમાં 2 ફૂટ અને પંડાલમાં 4 ફૂટથી નાની પ્રતિમાની જ મંજૂરી હોય આ તમામ પ્રતિમાઓનું વિસર્જનમાં 15 વ્યક્તિઓની મર્યાદિત સંખ્યામાં […]