ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને કોલવડા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. ગૃહ મંત્રી અમિત શાહે આરોગ્ય કેન્દ્રમાં જેમણે વેક્સિન લીધી હતી તેમની સાથે વાતચીત પણ કરી હતી અને લોકોના ખબર અંતર પૂછ્યા હતા. શાહે વધુમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોરોના વેક્સિન અંગેની માહિતી મેળવી હતી. ગૃહ મંત્રી અમિત શાહે કોઇપણ વ્યક્તિ વેક્સિન વિના બાકી ન રહી જાય તેની ખાસ કાળજી રાખવા આરોગ્ય અધિકારીઓને જણાવ્યું હતું. ગૃહ મંત્રી શાહે વધુમાં રૂપાલના વરદાયિની માતા મંદિરની મુલાકાત લઇને દર્શન અને પૂજા-અર્ચન કર્યા હતાં. તેમજ આશિર્વાદ મેળવ્યા હતાં. ગૃહ મંત્રી શાહે ત્યારબાદ વરદાયિની માતા મંદિરના ટ્રસ્ટીગણને મળીને જિલ્લા પ્રવાસન સ્થળો પૈકીના આ સ્થળના વિકાસ અને જીર્ણોદ્ધારની માહિતી મેળવી હતી. રૂપાલ બાદ શાહે ત્યારબાદ મહાનગરપાલિકામાં સમાવેશ કોલવડા ગામે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ વેક્સિનના પુરવઠા અંગેની જાત માહિતી મેળવી હતી. કોલવડા ખાતે મંત્રીશ્રીએ લોકો વચ્ચે જઇને નાગરિકોનું અભિવાદન ઝિલ્યું હતું. અને સૌનો આભાર માન્યો હતો. સૌને આરોગ્યની ચિંતા કરવા વેક્સિન લેવા માટે જણાવ્યું હતું. ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે શાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં વોક ઈન રસીકરણ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલો ઐતિહાસિક નિર્ણય છે. આજે મેં બે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી છે. રાજ સરકાર દ્વારા ૫૦૦૦ જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે. જેના દ્વારા સૌનું વોક ઈન રસીકરણ કરાશે. અમિત શાહ હજી મંગળવારે પણ અમદાવાદ ખાતે રોકાશે. તેમની સાથે ચર્ચા વિચારણા બાદ અમદાવાદની રથયાત્રા કાઢવી કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે એવું જાણકાર સૂત્રો જણાવી રહ્યાં છે. તેમના આગમન બાદ ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફાર થશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે પરંતુ આ અંગેના કોઇ એંધાણ દેખાતા નથી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રી મંડળના વિસ્તરણની વાતને નકારી કાઢી હતી.
Related Articles
ગણેશોત્સવમાં ડીજે વગાડવા દેવા વ્યારા ભાજપની માગ
વ્યારા નગર ભાજપ સંગઠન દ્વરા ગણેશજીના આગમન તથા વિસર્જન દરમ્યાન ડી.જે. તથા વાજીંદ્રો વગાડવાની પરવાનગી આપવા જિલ્લા અધિક નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યુ હતુ કે આગામી સપ્તાહ દરમ્યાન ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોઈ, સંપુર્ણ તાપી(TAPI) જીલ્લામાં તેમજ વ્યારા શહેરમાં આનંદ અને ઉત્સાહભેર સાથે આ પ્રસંગની ઉજવણી થનાર છે. સમગ્ર ઉત્સવ […]
રાજ્યમાં એક પણ દર્દી રેમડેસિવિર વિના નહીં રહે: રૂપાણી
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી. એટલુંજ નહીં કોરોનાના દર્દીઓની સારવાર માટે બન્ને જિલ્લાઓમાં વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.રૂપાણીએ જામનગરમાં કહ્યું હતું કે,રાજયમાં એક પણ કોરોનાના દર્દી રેમડેસિવિર વિના ના રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રી […]
સુરતના સુમુલડેરી રોડ પર જૂની પુષ્પકુંજમાં બાજ દળિયાની થીપ પર ગણેશોત્સવ
સુરત સ્થિત સુમુલ ડેરી રોડ પર બડા ગણેશ મંદિર પાસેની જૂની પુષ્પકુંજ સોસાયટીમાં અષ્ટવિનાયકને જાજરમાન રીતે બીરાજમાન કરાવવામાં આવ્યાં છે. અહીં બાજ અને દળિયાનો ઉપયોગ કરીને અદભૂત દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે. (ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો […]