અમેરિકા હોય કે યુરોપ કે પછી આફ્રિકન કન્ટ્રી મૂળ ભારતીયો જ્યાં જ્યાં પણ ગયા છે ત્યાં તમામ ઠેકાણે તેમણે ભારતનો ડંગો વગાડ્યો છે. અમેરિકામાં તો અનેક મહત્વના પદો પર મૂળ ભારતીયો સ્થાન શોભાવી રહ્યાં છે જ્યારે કેનેડામાં તો ભારતીય મૂળના લોકો મેયર તેમજ સાંસદ જેવા પદ પર પણ પહોંચી ચૂક્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ મૂળ ભારતીય છે અને તેઓ કેરેલિયન મૂળના છે. આકાશમાં ડંગો વગાડનાર અમેરિકન સ્પેશ એજન્સીમાં મહત્વની ભૂમિકા ભજવનાર કલ્પના ચાવલા પણ મૂળ ભારતીય જ છે. અમેરિકાના મિસિસિપી શહેરમાં રહેતા ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના પરિવારની દીકરી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતા વાંઝણા સહિત તાલુકામાં ખુશી ફેલાઇ જવા પામી હતી. શિકાગોમાં નેવલ બેઝ ટ્રેનિંગ કેમ્પમાં 10 અઠવાડિયાની કઠોર તાલીમમાંથી પસાર થયા બાદ નેવીમાં સેઇલર પદે નિમણૂંક મેળવી સમગ્ર તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના નિરવભાઇ દુર્લભભાઇ પટેલ ઘણા વર્ષથી નોકરી-ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયા હતા. તેમની દીકરી નૈત્રી પટેલે અમદાવાદમા એસએસસી સુધી અભ્યાસ કર્યા બાદ તેમનો પરિવાર છ એક વર્ષ પૂર્વે અમેરિકા જઇને ત્યાંના મિસિસિપી સ્ટેટમાં મોટેલના વ્યવસાય સાથે જોડાયા હતા. પોતાના માતા-પિતા નાનાભાઇ સાથે રહેતી નૈત્રી પટેલે મિસિસિપી યુનિર્વસિટિમાં કોલેજ કક્ષાનો અભ્યાસ કરી રહી હતી. આ દરમ્યાન નૈત્રી પટેલે કોલેજના અભ્યાસ સાથે શિકાગો ખાતે આવેલા નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં નેવી બુટ કેમ્પસમાં જોડાઇ દસ-અઠવાડિયા સુધી અનેકવિધ સાહસો સાથેની કઠોર તાલીમ મેળવી હતી અને આ તાલીમ સફળતાપૂર્વક પાર પાળ્યા બાદ નૈત્રી પટેલની અમેરિકન નેવીમાં સેઇલર તરીકે નિયુકિત થવા પામી છે. ચીખલી જેવા નાનકડા તાલુકામાંથી અમેરિકા પહોંચીને આ યુવતીએ માત્ર ચીખલીનું જ નહીં પરંતુ નવસારી જિલ્લો, ગુજરાત રાજ્ય અને દેશનું ગૌરવ પણ વધાર્યું છે સાથે જ પાટીદાર સમાજનું નામ પણ નૈત્રીના કારણે રોશન થયું છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ ચીખલીના નાનકડા વાંઝણા ગામના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. હવે તે અમેરિકન નેવીમાં પણ હજી ઊંચા ઊંચા પદ પર પહોંચે તેવી શુભેચ્છા મુળ વતનના લોકો પાઠવી રહ્યાં છે.
Related Articles
મ્યુકરમાઇકોસિસ માટેના ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે
પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન […]
નવસારી, વલસાડ સહિત હવે 29 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા. જે મુજબ હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ 28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે […]
ગુજરાત બોર્ડે ધો. 12ની પરીક્ષા નહીં લેવાનો કર્યો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી […]