રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલીટેકનિક સંસ્થાનો અને કોલેજ ૫૦ ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે, તેવો મુખ્યમંત્રીની અધ્યક્ષતા મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. ધોરણ 12 અને કોલેજ તથા પોલિટેક્નીકના વિદ્યાર્થીઓને પસંદગી આપવામાં આવી છે. તેઓ ઇચ્છે તો શાળા -કોલેજમાં જઇ શકશે, તે માટે વિદ્યાર્થીના વાલીનું સંમતિપત્રક પણ હોવું જરૂરી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી શાળા-કોલેજમાં જવા ન ઇચ્છે તો તેમનું ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવાનું રહેશે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. જો વાલી અને વિદ્યાર્થી ઇચ્છે તો તેઓ શાળાએ જઇ શકશે. આ નિર્ણય માત્ર ધોરણ 12ના વિદ્યાર્થીઓ પર જ લાગુ પડશે. શાળામાં અન્ય કોઇ પણ ક્લાસ ચલાવી શકાશે નહી. માત્ર ધોરણ 12, કોલેજ, પોલિટેકનિક સંસ્થાઓને જ આ નિર્ણય લાગુ રહેશે.
Related Articles
ધો. 10નું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જાહેર
ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 29 જૂન 2021ને રાત્રિના આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના સચિવ બી.એ. ચૌધરીએ જણાવ્યું હતું કે ધોરણ- 10ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવી હતી. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની સરકાર દ્વારા જાહેર કરાયેલી નીતિ મુજબ શાળાઓ દ્વારા […]
હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ […]
રૂપાણીનાં મંત્રીઓએ બે દિવસમાં બંગલો ખાલી કરવો પડશે
કેબિનેટના સભ્યોની શપથવિધિ યોજાવાની છે તેવી અટકળોના પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે મહત્વનો આદેશ કરીને સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2ના સ્ટાફની બદલીના હુકમો કર્યા બાદ ત્વરીત પૂર્વ મંત્રીઓની ઓફિસમાંથી સામાન ખસેડી લેવામાં આવ્યો હતો, એટલું જ નહીં આ ઓફિસો ખાલી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રીઓને તેમના બંગલા પણ બે દિવસની અંદર ખાલી કરવાનું કહેવાયું […]