આશીશલતા રામગોબિન, કે જેઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પુત્રના પુત્રીના પુત્રી છે અને સાઉથ આફ્રિકામાં રહે છે, તેમને એક છેતરપિંડી અને બનાવટના કેસમાં સાત વર્ષની જેલની સજા થઇ છે. ડરબનનીએક અદાલતે પ૬ વર્ષીય આશીશલતાને ૬૦ લાખ રેન(૪૪૨૦૦૦ ડૉલર) જેટલી રકમની છેતરપિંડી અને ફોર્જરીના કેસમાં આ સજા સંભળાવી છે. આશીશલતા એ જાણીતા માનવ અધિકારવાદી કાર્યકર ઇલા ગાંધી અનેદિવંગત મેવા રામગોબિનના પુત્રી છે. આશીશલતાના માતા-પિતાએ ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં પોતાના વસવાટ દરમ્યાન સ્થાપવામાં આવેલ ફિનિક્સ વસાહતને ફરીથી સજીવન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યોહતો. આશીશલતા રામગોબિન બે સંતાનોના માતા છે અને સાઉથ આફ્રિકામાં પોતાનો વ્યવસાય કરે છે. તેમની સામે આરોપ હતો કે વેપારી એસ. આર. મહારાજ પાસેથી મોટા નફાનું વચન આપીને ૬૨ લાખ રેન (સાઉથઆફ્રિકાનું ચલણ)ની રકમ એડવાન્સમાં લઇને છેતરપિંડી કરી હતી. મહારાજ સાઉથ આફ્રિકામાં એક મોટી કંપનીના માલિક છે અને વસ્ત્રો, પગરખા વગેરેની આયાત કરે છે આ ઉપરાંત અન્ય કંપનીઓને ધિરાણ આપવાનુંકામ પણ કરે છે. મહારાજને આશીશલતાએ કહ્યું હતું કે પોતે ભારતથી કેટલાક કન્ટેનર મંગાવ્યા છે પરંતુ આયાતનો ખર્ચ અને કસ્ટમ ડ્યુટી ચુકવવામાં તેમને હાલ નાણાકીય મુશ્કેલી છે. મહારાજને પોતાની વાતનો વિશ્વાસઅપાવવા આશીશલતાએ પરચેઝ ઓર્ડર, ઇન્વોઇસ વગેરે પણ બતાવ્યા હતા. જો કે બાદમાં મહારાજને સમજાઇ ગયું હતું કે આ દસ્તાવેજો બનાવટી છે અને તેમની સાથે છેતરપિંડી થઇ છે. ફરિયાદને આધારે આશીશલતાસામે ૨૦૧પમાં કેસ શરૂ થયો હતો જેનો છેવટનો ચુકાદો ડરબન ખાતેની વાણિજ્યિક ગુનાઓ માટેની ખાસ અદાલતે હાલમાં આપ્યો છે. આશીશલતા રામગોબિનને આ ચુકાદા સામે અપીલ કરવાની પણ મનાઇફરમાવવામાં આવી છે.
Related Articles
મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા નિયંત્રણો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારની પેનિક કે અફરા-તફરીભરી સ્થિતિ ન સર્જાય તે માટે “લોકડાઉન” શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો,અલબત તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોઈ લોકડાઉન જેવા જ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત […]
વેક્સિન સપ્લાય વધારવા સતત પ્રયાસ કરી રહ્યાં છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે કોરોના વાયરસને લઇને વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના વિરુદ્ધ અમારો મુખ્ય હથિયાર લોકલ કન્ટેનમેન્ટ જોન, ઝડપી તપાસ, સાચી અને સંપૂર્ણ માહિતી અને કાળાબજાર પર લગામ છે. આ યુદ્ધમાં તમે બધા એક મહત્વની ભૂમિકામાં છો. તમે આ યુદ્ધના એક રીતે ફીલ્ડ […]
48માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું પદ સંભાળતા એનવી રમણા
જસ્ટિસ એનવી રમનાએ દેશના 48મા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI) તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે તેમને શપથ અપાવ્યા હતા. જસ્ટિસ રમનાએ CJI એસએ બોબડેનું સ્થાન લીધું છે. જસ્ટિસ બોબડે 23 એપ્રિલના રોજ રિટાયર્ડ થઈ ગયા છે. બોબડેએ જ જસ્ટિસ રમનાના નામનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો.