કોરોના કાળમાં સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવતા આવા બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા રાજય સરકારે બાલ સેવા યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આજે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રૂપાણીએ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી એ એવી પરિસ્થિતિ ઉભી કરી છે કે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઇ એ પોતાના વ્હાલ સોયા દિકરા-દિકરીઓ ગુમાવ્યા છે તો કોઇ એ ભાઇ-બહેન-પત્નિનો સાથ ખોયો છે અને રાજ્યમાં કેટલાય બાળકો આ કોરોના સમય દરમિયાન પોતાના માતા-પિતા બંને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે. એવા બાળકો જેમણે પોતાના માતા-પિતા બંને ગુમાવ્યા છે તેવા બાળકોને આર્થિક સહાય- આધાર આપીને તેમને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકારની “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો લાભ મળશે. બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે.
Related Articles
ભાવનગરના સિહોરમાં જનેતાએ તેના બંને બાળકોને ડૂબાડી દીધા
ભાવનગર નજીકના સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ તેમના બન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે. જોકે, ખુદ જનેતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેને લઈ સિહોર પોલીસે તજવીજ હાથ ધરી છે. સિહોર પોલીસમાં અજયભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના […]
સુરત સહિત ચાર મહાનગરોના પોલીસ કમિશનર બદલાવાની સંભાવના
સુરત સહિત રાજ્યના ત્રણ મહાનગરોના પોલીસ કમિશનરોની આંતરિક બદલી સાથે રાજ્યમાં 17 જિલ્લાના પોલીસ વડાઓની બદલીઓ પણ કરાશે, તે પછી ત્વરીત ડીવાયએસપીઓની પણ આંતરિક બદલીઓ પણ થશે. સુરતમાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવી રહેલા ડીવાયએસપીઓની પણ બદલીઓ થશે. બીજી તરફ સુરતમાં ક્રાઈમને કંન્ટ્રોલ કરી શકે તેવા નવા ડીવાયએસપીઓને સુરતમાં મૂકવામાં આવશે. જેમણે પહેલા […]
નીલય જરીવાળા 59 લાઇક સાથે પહેલા નંબર ઉપર
અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ સ્પર્ધામાં 59 લાઇક સાથે સુરત સોનીફળિયા નગરશેઠની પોળના નીલય જરીવાલા પહેલા નંબર ઉપર ચાલી રહ્યાં છે. તમારા મિત્રો, સંબંધીઓ અને પડોશીઓને તમારા મંડળની પોસ્ટની વધુમાં વધુ લાઇક કરાવો અને ઇનામના હકદાર બનો.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, […]