કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડિયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે, તેવો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડિયેટ સેમેસ્ટર ર, ૪ અને જ્યાં સેમેસ્ટર ૬ પણ ઇન્ટરમિડિયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે ૯.૫૦ લાખ જેટલી થવા જાય છે. ઇન્ટરમિડિયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ હેતુસર માર્કસની ગણતરી માટે પ૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ પ્રિવીયસ-સેમેસ્ટરના આધારે આપવામાં આવશે. જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહીં આવી હોય તો ત્યાં પ૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમેસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલા ખરેખર ગુણ ધ્યાને લેવાશે.
Related Articles
વડોદરાના કુંભારવાડા યુવક મંડળના બર્ફિલા પહાડની થીમ
વડોદરાના પાણીગેટ સ્થિત કુંભારવાડા સ્થિત કુંભારવાડા યુવક મંડળ દ્વારા હિમાલયની પર્વતમાળા બનાવી તેમાં ગણનાયકને બિરાજમાન કરાવવામાં આવ્યાં છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
નેતાઓને ભીડ ભેગી કરવાની છૂટ હોય તો ગણેશભક્તોને કેમ નહીં?
સાર્વજનિક ગણેશોત્સવને આડે હવે માત્ર બે મહિના જેટલો જ સમય બચ્યો છે. આ ઉત્સવ ભલે આઝાદીની ચળવળની જાગૃતિ માટે શરૂ કરવામાં આવ્યો હોય પરંતુ હવે તેની સાથે ધાર્મિક લાગણી એટલી હદે જોડાઇ ગઇ છે કે, 10 દિવસ સુધી શ્રીજીની આરાધના કરવા માટે યુવાઓ હંમેશા તત્પર રહેતા હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્સવ શરૂ થાયે તેના છ […]
ગુજરાતના સાડા ત્રણ કરોડ લોકોને વિના મૂલ્યે અન્ન વિતરણનો પ્રારંભ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી આરંભ થયો હતો. અન્ન વિતરણ કાર્યક્રમમાં વચ્યુઅલ રીતે સહભાગી થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે. રાજ્યના પાંચ જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ ઇ-સંવાદ પણ […]