યુપીમાં કોરોનાના સંક્રમણ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદીમાંથી મળી રહેલા મૃતદેહોના પગલે સમગ્ર દેશમાં ચકચાર મચેલી છે.આ મુદ્દા પર હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધો હુમલો કર્યો છે.રાહુલ ગાંધીએ ટ્વિટર પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, જે વ્યક્તિ એવુ કહેતી હતી કે મને મા ગંગાએ બોલાવ્યો છે તેણે જ આજે મા ગંગાને રડાવી છે. રાહુલ ગાંધીએ આ ટ્વિટની સાથે સાથે અખબારના એક અહેવાલને શેર કર્યો હતો. જેમાં કહેવાયુ હતુ કે, ગંગા નદીના કિનારા પર 1140 કિલોમીટરના વિસ્તારમાં 2000થી વધારે મૃતદેહો મળ્યા છે.
Related Articles
દેશના કોરોનાના પ્રથમ દર્દીને ફરી કોરોના થયો
છેલ્લા દોઢ વર્ષથી દેશ કોરોનાના કપરાકાળમાંથી પસાર થઇ રહ્યો છે. કોરોનાના કારણે લોકોની જીવન શૈલી પર પણ માઠી અસર પહોંચી છે. સંભવીત ત્રીજી લહેરના ખતરાથી લોકો ડરી રહ્યાં છે ત્યારે જે દર્દીને દેશમાં પહેલી વખત કોરોના થયો હતો તેને ફરી વખત કોરોના થયો છે. વુહાન યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાન્યુઆરી મહિનામાં કોરોના થયો […]
પાંચ રાજ્યોની ચૂંટણી માટે ભાજપે પ્રભારી – સહપ્રભારી જાહેર કર્યા
આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં ભાજપે બુધવારે ચૂંટણી માટે તેના સંગઠનાત્મક નેતાઓના નામ જાહેર કર્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહલાદ જોશી, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ભૂપેન્દ્ર યાદવને અનુક્રમે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર ચૂંટણીમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગોવાની ચૂંટણીનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમની મદદમાં કેન્દ્રીય […]
રવિવારે લદાખના કેટલાંક ગામોમાં અચાનક પૂર આવ્યું
લદ્દાખના કેટલાક ગામોમાં રવિવારે અચાનક આવેલા પૂરમાં એક પુલ અને ઉભા પાકને ઘણું નુકસાન થયું હતું. ત્યાં કૃત્રિમ તળાવ ફાટયા બાદ ઝાંસ્કર નદી અવરોધિત થવાથી સત્તાધીશોએ ચેતવણી આપી હતી.ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (ડીડીએમએ)ના મુખ્ય કાર્યકારી અધિકારી સોનમ ચોઝોરે જણાવ્યું હતું કે, શનિવારે રૂમ્બક ગામ નજીક કૃત્રિમ તળાવ ફાટયું હતું. જેના પરિણામે ઝાંસ્કર નદી અવરોધિત થઈ […]