આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણયના કારણે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં બાદ મળશે, કાર્ડ ધરાવતાં પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા ૫૦ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવામાં આવશે. આ રીતે કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી છે.
Related Articles
રાજ્યની સરકારી હોસ્પિટલોની નર્સના એલાઉન્સમાં વધારો જાહેર
રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા ૧૭૦૦નો એટલે કે, ૧૩૦ ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા ૩૦૦૦નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ ૧ લી જુલાઇ ૨૦૨૧ થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જેનો લાભ ૧૫૦૦૦ થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુ કે રાજ્યના આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય […]
ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પંકજ કુમારે ચાર્જ લીધો
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે આજે 1986ની બેચના આઈએએસ પંકજ કુમારે કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે ગૃહ વિભાગનો ચાર્જ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાને સોંપવામાં આવ્યો છે. પકંજકુમારે ગુજરાને વિકાસની દિશામાં વધુને વધુ આગળ લઈ જવા તેમજ કોરોના મહામારી સામે મક્કમતા પૂર્વક લડીને સૌનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પ્રયત્નશીલ રહેવા […]
રાજ્યમાં કોરોનામાં શુક્રવારે 9નાં મોત
રાજ્યમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 9 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 65 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 9469 થયો છે. બીજી તરફ આજે 8,783 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,86,581 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 9 સુરત મનપામાં […]