રાજય સરકારે તાજેતરમાં કરેલા આઈએએસની બદલીના આદેશમાં આંશિક ફેરફાર કરીને સરકારે ડાંગના નવા કલેકટર તરીકે નીમાયેલા એ.એમ.શર્માને હવે પોરબંદરના નવા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જયારે ડાંગના નવા કલેકટર તરીકે બી.કે.પંડ્યાની નિમણૂક કરી દીધી છે. જયારે મહિલા બાળ કલ્યાણ વિભાગમાં આઈસીડીએસ ડાયરેકટર તરીકે નિમણૂક કરી છે.અમદાવાદમાંથી અધિક કમિશનર (ટેકસ) બી. કે. પંડયાને ડાંગ કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.જયારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી ગાર્ગી જૈનની બદલી આરોગ્ય વિભાગમાં કરાઈ છે.
Related Articles
રાજ્યમાં નવા 10 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત થશે
રાજયમાં ઓનલાઈન શોંપિંગ અને ક્રેડિટ કાર્ડમાં થઈ રહેલી છેતરપિંડી રોકવા માટે ગૃહ વિભાગ દ્વારા રાજયમાં નવા 10 જેટલા સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાયબર ક્રાઈમના ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવી રહી છે. “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ હેઠળ સાયબર ઇન્સિડન્સ રીસ્પોન્સ યુનિટ […]
હવે ઉત્તર ગુજરાતમાં 1000 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાનો દાવો
સુરત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં આપ પાર્ટીમાં સદસ્યતા અભિયાન દરમિયાન આજે 1000 લોકો જોડાઈ જતાં ભાજપ સહિત રાજકીય પક્ષોને ઝટકો લાગ્યો છે. આપમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાઓ લોકગીતોના સ્વરૂપમાં આપના વખાણ કરતાં ગીતો ગાયા હતા. જેના પગલે લોકો માહિત થઈ ગયા હતા. બનાસકાંઠાના જગાણા ગામે આપ પાર્ટીનું સદસ્યતા અભિયાન સંમેલન યોજાયું […]
ગુજરાતના 26 આઇએએસ અધિકારીઓની બદલી
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે 26 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની આંતરીક બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની નિમણૂક કરાઈ છે. જયારે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કમલ દયાણીની નિમણૂક કરાઈ છે.વડોદરાના જિલ્લા કલેકટર શાલિનિઅગ્રવાલની બદલી કરીને તેમની નિમણૂક વડોદરા મનપાના કમિશનર તરીકે કરાઈ છે. જયારે મહેસાણાના કલેકટર […]