રાજ્યમાં કોરોનાવાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યા છે. એવામાં હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના સંક્રમિત હોવાની વિગતો મળી રહી છે. તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગઈકાલે અને આજે સવારે પણ તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હતા.
Related Articles
સોમનાથ અને વીરપુરનું જલારામ મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ
કોરોના વાયરસની વકરેલી મહામારીના પગલે વિરપુરનું વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી પૂ. જલારામ બાપાનું મંદિર સાવચેતીના પગલારૂપે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશ-વિદેશના ભાવીકોમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન અને જલીયાણ ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત પૂ. જલારામ બાપાના મંદિરને કોરોનાની મહામારીના કારણે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય પૂ. જલારામ બાપાના પરિવાર દ્વારા લેવામાં આવેલ છે. કોરોના […]
ગુજરાત પર મંડરાઇ રહ્યો છે વાવાઝોડાનો ખતરો
અરબી સમુદ્રમાં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠા નજીકથી પસાર થશે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન સ્થિતિ ડીપ ડિપ્રેશનમાં સઘન બની છે અને શનિવારે સવાર સુધીમાં તે વાવાઝોડામાં ફેરવાશે અને શનિવારે રાત સુધીમાં અતિ તીવ્ર વાવાઝોડું બનશે. 16-19 મે દરમ્યાન તે અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને […]
અમદાવાદમાં ઓક્સિજનના કાળાબજાર કરતી ગેંગ ઝડપાઇ
કોરોનાના કપરાંકાળ વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજાર કરતા અનેક શખ્સો ઝડપાયાં છે. તો વળી અમદાવાદમાં ઓક્સિજનની કાળાબજારી કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી પોલીસે 39 બાટલાઓનો જપ્ત કર્યા હતાં. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને 39 જેટલા ઓક્સિજનના સિલિન્ડરો જપ્ત કર્યા હતા. આ સિલિન્ડરો અંગે પૂછપરછ કરતા આ ઓક્સિજન સિલિન્ડરો […]