રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 8920 કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કુલ 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત મનપામાં 24, અમદાવાદ મનપામાં 25, રાજકોટ મનપામાં 8, વડોદરા મનપામાં 8, રાજકોટ ગ્રામ્યમાં5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં, જામનગરમાં, જામનગર મનપામાં, સાબરકાંઠામાં અને સુરત ગ્રામ્યમાં 2-2 તેમજ અમદાવાદ ગ્રામ્યમાં, દેવભૂમિ દ્વારકા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય અને વલસાડમાં એક –એક કુલ 94 દર્દીઓના મૃત્યું થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 થયો છે. બીજી તરફ શુક્રવારે 3387દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,29,781 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 85.73 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન શુક્રવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 2842, સુરત મનપામાં 1522, વડોદરા મનપામાં 429, રાજકોટ મનપામાં 707, ભાવનગર મનપામાં 112, ગાંધીનગર મનપામાં 69, જામનગર મનપામાં 192 અને જૂનાગઢ મનપામાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 398, મહેસાણામાં 330, ભરૂચમાં 173, નવસારીમાં 117, બનાસકાંઠામાં 110 કેસ, વડોદરા ગ્રામ્યમાં 171, જામનગર ગ્રામ્યમાં 122 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 49,737, વેન્ટિલેટર ઉપર 283 અને 49,454 દર્દીઓ સ્ટેબલ છે. પ્રથમ અને બીજો ડોઝ મળી કુલ 1,00,130,881 55 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. શુક્રવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 47,571 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
Related Articles
રાજકોટ અને ગાંધીનગર વધુ બે ટીપી સ્કીમ મંજૂર
નગર આયોજનની દિશામાં આગળ વધતા રાજકોટ અને ગાંધીનગરની વધુ બે ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી દેવાઈ છે. તદનુસાર ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા)ની ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૨૬ વાસણા-હડમતિયા-ઉવારસદ-વાવોલ)ની આશરે ૧૦૦ હેક્ટર્સ વિસ્તારની ટી.પી.ને મંજૂરી આપી છે. આ ટી.પી. મંજૂર થવાથી વિકાસની વ્યાપક તકો વધશે. કારણ કે, ગાંધીનગર શહેરના વિકાસ આયોજનને આગળ વધારતા પહોળા રસ્તા […]
કાપોદ્રામાં રામદેવમંદિરના મુદ્રે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર ડિમોલિશન થયા બાદ મૌખિક રીતે સત્તાધીશોએ જમીન ફાળવવાની વાત કરી હતી. જો કે, હજી સુધી જગ્યા ન ફાળવતાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરાયો છે. વરાછા ઝોન આફિસના પાર્કિંગમાં ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર મહાનગરપાલિકા દ્વારા […]
કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા અટકી નથી
કોરોના હોવા છતાં ગુજરાતમાં વિકાસ યાત્રા અટકી નથી. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેમના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે તેવી વ્યવસ્થા તેમણે ઊભી કરી છે, તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે આજે અમદાવાદમાં કહ્યું હતું. અમિત શાહે અમદાવાદમાં ૨૬૭ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહુર્ત કર્યા હતાં. શાહે અમદાવાદમાં મહાનગરપાલિકા, ઔડા અને […]