રાજયમાં રાત્રીના ૯ વાગ્યે તૌકતે વાવાઝોડું પોરબંદર અને ભાવનગરના મહુવાની વચ્ચે દિવ- ઉના પાસે દરિયા કિનારે નજીક આવી જવાની સાથે તેના લેન્ડફોલની શરૂઆત થઈ ચૂકી છે. આ વાવાઝોડુ હવે સાગરકાંઠાથી ૨૦ કિમી દૂર છે, એટલે રાત્રીના ૯ વાગ્યા પછી દોઢથી બે કલાક તેને પસાર થતાં લાગશે.વાવાઝોડુ નજીક આવ્યું કે તુરંત જ રાજયમાં પવનની ગતિ વધી જવા પામી હતી. એટલું જ નહીં ૧૦૦થી ૧૨૦ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાવાની શરૂઆત થઈ હતી. અમદાવાદ – ગાંધીનગરમાં તિવ્ર ગતિએ પવન ફુંકાવવાની સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. વાવાઝોડાનાં લેન્ડફોલ પહેલાં જ જ સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સીનિયર અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. રૂપાણીએ સંભવિત અસર પામનારા જિલ્લાના કલેકટરો સાથે વાતચીત પણ કરી હતી. રૂપાણીએ રાત્રે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે , તૌકતે વાવાઝોડું લેન્ડફોલ થવાની શરૂઆત થઈ ચૂકી છે. જો કે વાવાઝોડુ સંપૂર્ણ વાવાઝોડુ શરૂ થતાં દોઢથી બે કલાક લાગશે, આ વાવાઝોડુ દિવ અને ઉનાની વચ્ચે ટકરાઈ રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકના ૧૫૦ કિમીની આસપાસ રહેશે.
Related Articles
જાણીતા મીડિયા ગ્રુપ સમભાવ પર ઇન્કમટેક્સના દરોડા
અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે આજે રિયલ એસ્ટેટના કામકાજ સાથે સંકળાયેલા છ જેટલા ડીલર્સની કચેરીઓ પર સર્ચ- ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં રિયલ એસ્ટેટ અને મીડિયા નેટવર્ક સાથે સંકળાયેલા સમભાવ ગ્રુપ પર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના જાણીતા લેન્ડ બ્રોકર યોગેશ પૂજારા, કે. મહેતા ગ્રુપ અને દીપક ઠક્કરને ત્યાં પણ કાર્યવાહી કરવામાં […]
વિકાસનું મોડેલ બની ગયેલા ગુજરાતની સ્પર્ધા હવે વિશ્વની સાથે છે : રૂપાણી
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (AMIT SHAH) અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શાસન દાયિત્વના પાંચ વર્ષ પૂર્ણ થવાની આ કોઇ ઉજવણી નથી પરંતુ જનસેવાના કામોના યજ્ઞને જન જન સુધી ઊજાગર કરવાનું અમારું આ અનુષ્ઠાન છે. વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સ્પર્ધા હવે વિશ્વ […]
ગુજરાતમાં 25 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ
ગુજરાત સરકારે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કર્યા છે. હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિરની તંગી ઊભી ના થાય અને […]