રાજયમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે જેના પગલે રાજય સરકાર દ્વારા 3જી મે થી તમામ શાળાઓ માટે ઉનાળુ વેકેશન જાહેર કરી દેવાયું છે. ગાંધીનગરમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ રાજયમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા હવે તા.3જી મેથી તા.6 ઠ્ઠી જુન સુધી ઉનાળુ વેકેશન રહેશે. તે પછી વર્ષ 2021-22નું નવુ શૈક્ષણિક વર્ષ શરૂ કરાશે. શિક્ષણ વિભાગના આદેશમા જણાવવામાં આવ્યા મુજબ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કે બિન શૈક્ષણિક કર્મચારીઓ કે અધિકારીઓને સરકાર દ્વારા કોઈ કામગીરી આપવામા આવી ન હોય તો શાળાએ આવવાનું રહેશે નહીં . સેલ્ફ ફાયનાન્સ શાળાઓના કર્મચારીઓને શાળાએ જવાથી મુકિત્ત આપવામાં આવે છે.જો સરકાર દ્વારા કોરોના મહામારી સંદર્ભિત કામગીરી અપાય તો તેનું પાલન કરવાનું રહેશે.
Related Articles
ચારેય બાજુ કુનિમિતોનો રાફડો ફાટ્યો છે : પદ્મદર્શન વિજયજી
જૈનોના પર્વાધિરાજ પર્યુષણમાં ત્રીજા દિવસે વેસુના ઓમકારસૂરિઆરાધના ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રવચન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ શુદ્વિનું પર્વ છે. માનવ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થવાની પૂરી શક્યતા છે. આપણા આત્મામાં ‘સુ’ અને ‘કુ’ એમ બંને પ્રકારનાં સંસ્કારો અનાદિકાળથી પડ્યાં છે. ક્યારે કયાં સંસ્કારોનો હુમલો થશે તેની ખબર પડતી નથી. બાહ્ય નિમિત્તો […]
જાણો ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલા કરોડનું વેક્સિનેશન
કોરોનાકાળ શરૂ થતાંની સાથે જ દેશની જુદી જુદી ફાર્માસ્યુટિકલ કંપનીઓ વેક્સિન બનાવવાની શોધમાં લાગી ગઇ હતી અને અનેક પરિક્ષણમાંથી પસાર થયા પછી દેશમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ વેક્સિનના ઓછા ઉત્પાદનના કારણે તેની ગતિ મંદ પડી છે. તેમ છતાં ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી અન્ય રાજ્ય કરતાં સારી કહી શકાય તેમ છે. […]
ગુજરાતમાં 3 કરોડ લોકોનું રસીકરણ
ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડને પાર કરી ગઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૧૮ થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ ,20,હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની […]