કોરોના વાયરસની વકરેલી મહામારીના પગલે વિરપુરનું વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી પૂ. જલારામ બાપાનું મંદિર સાવચેતીના પગલારૂપે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશ-વિદેશના ભાવીકોમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન અને જલીયાણ ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત પૂ. જલારામ બાપાના મંદિરને કોરોનાની મહામારીના કારણે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય પૂ. જલારામ બાપાના પરિવાર દ્વારા લેવામાં આવેલ છે. કોરોના મહામારીના સમયમાં દેશના મોટાભાગના પ્રસિદ્ધ મંદિરોના દ્વાર બંધ થઈ ગયા હતા. તેમાંથી સોમનાથ મહાદેવ મંદિર પણ બાકાત રહ્યું નથી. આ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હોવાનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ લહેરીએ જણાવ્યું હતું. કોરોનાની વકરેલી સ્થિતિમાં સુધારો થયા બાદ આ મંદિર પુન: શરૂ કરવાનો નિર્ણય લેવાશે.
Related Articles
કોરોના વેક્સિન લીધી હોય તો જ જીટીયુની પરીક્ષા આપી શકાશે
કોરોનાના સતત વધી રહેલા ગ્રાફ વચ્ચે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીએ 18 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ પરીક્ષાર્થીઓ માટે વેક્સિનેશન ફરજિયાત કરતો નવો ફતવો બહાર પાડ્યો છે.ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીએ ગયા વર્ષે ઓનલાઇન એકઝામ્સ લઇને સમગ્ર રાજયમાં દાખલો બેસાડયો હતો. પરંતુ વખાણેલી ખીચડી દાંતે વળગે તે કહેવત હવે જીટીયુને લાગુ પડે તેવી સ્થિતિ ઉભુ થઇ છે. ગઇકાલે જીટીયુએ […]
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે
આગામી તા.28મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગિનેસ મેવાણી હવે કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. જીગ્નેશ મેવાણી ઉપરાતં વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર પણ કોંગીમાં જોડાય તેવા ચક્રો ગતિમાન થયા છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ સમગ્ર બાબતે મધ્યસ્થી કરી રહયા છે. જો કે આ મુદ્દે કોંગ્રેસ દ્વ્રારા કોઈ સત્તાવાર જાહેરત કરાઈ […]
રાજ્યમાં 65 દિવસ બાદ પહેલીવાર કોરોનાના કેસ 1900ની અંદર
કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે અને કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે વડોદરામાં સ્થિતિ અન્ય શહેરો કે જિલ્લા કરતાં અલગ છે. અહીં કેસ ટોપ 5માં રહે છે. માત્ર એટલું જ નહીં, સતત ચોથા દિવસે વડોદરા ટોપ પર છે. 65 દિવસ બાદ પહેલીવાર નવા કેસ 1900થી ઓછા નોંધાયા […]