એક તરફ રાજયમાં કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે માનવ જીંદગી જોખમમાં મૂકાય તે રીત નકલી રેમડેસિવિર વેચવા માટે રાજયભરમાં ધૂતારાની ગેંગ સક્રિય બની છે. આજે ગુજરાત પોલીસે મોરબી, અમદાવાદ અને સુરતમાં દરોડો પાડીને લાખોની કિંમતના નકલી રેમડેસિવિર અને તેને બનાવવાનું મટિરિટલ્સ જપ્ત કર્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે , આજે સવારે પોલીસે મોરબીમાં રૂ. ૫૮ લાખની કિંમતના ૧૨૧૧ નંગ નકલી રેમડેસિવિર ઇન્જેકશન જપ્ત કર્યા છે આ ગુના સંદર્ભે મોરબીથી ૪ આરોપીને પકડી તેમની પાસેથી રૂ. ૧૯ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ કલમ ૨૭૪,૨૭૫,૩૦૮, ૪૨૦,૩૪,૧૨૦બી, તથા આવશ્યક ચીજ ચીજ વસ્તુ અધિનિયમ ની કલમ-૩,૭,૧૧, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.મોરબીના આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે આ જથ્થો અમદાવાદ- જુહાપુરાના આસિફભાઇ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલિક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના એ.સી.પી. ડી.પી.ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા, ખાતે રેઇડ કરતા સપ્લાયર મહંમદઆસિફ ઉર્ફે આસિફ તથા રમીઝ કાદરી વાળાના મકાનમાંથી ભેળસેળ યુકત નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનંગ-૧૧૭૦ કિંમત રૂા. ૫૬,૧૬,૦૦૦/- તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતાં. અમદાવાદના આરોપીઓની તપાસ દરમિયાન આ જથ્થો તેઓ સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનું આરોપીઓએ જણાવતા એક ટીમ સુરત ખાતે રવાના કરાઈ હતી. કૌશલ વોરાની તપાસ કરતાં આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત ક્રાઈમબ્રાન્ચના એ.સી.પી. આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા. આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે ૫૫,૦૦૦ થી ૫૮૦૦૦ કાચની બોટલો, બોટલ પર લગાવવાના ૩૦,૦૦૦ સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વિગેરે મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાંખતા હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ સુરત ખાતે દરોડાની કાર્યાવહી ચાલુ છે.
Related Articles
વાવાઝોડામાં નુકસાન પામેલા પાકા મકાનોને 95હજારની સહાય
રાજયમાં ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડની અસર હેઠળ તૂટી ગયેલા પાકા મકાનો માટે ૯૫,૧૦૦ – છાપરા- નળિયા ઉડી ગયા હોય તો ૨૫૦૦૦ અને ઝૂંપડાના પુન: નિર્માણ માટે ૧૦ હજારની સહાય રાજય સરકારે જાહેર કરી છે. આજે રાત્રે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્છથાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તાઉતે વાવાઝોડાની […]
સુરતમાં ભવ્યાતિભવ્ય દિક્ષા સમારોહ
મજુરાગેટના દયાળજી આશ્રમ અધ્યાત્મ નગરી ખાતે શુક્રવારના રોજ ભગવંતોની પાવન નિશ્રામાં 59 દીક્ષાથીઓેને મુહૂર્ત પ્રદાન થયા હતા. દીક્ષા યુગપ્રવર્તક સૂરિરામચંદ્ર તથા સૂરિશાંતિચંદ્રના ધર્મ પ્રભાવક સામ્રાજ્યમાં આજે દીક્ષાધર્મ મહાનાયક સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપાત્ર યોગતિલકસૂરિશ્વરજી, મોટા સાહેબજી સૂરિજિનચંદ્રના દિવ્ય આશિષ ઝીલી 59 દિક્ષાર્થીઓ એ સિંહ ગર્જનાથી દિક્ષાના સંકલ્પની ઘોષણા કરી હતી. તેઓને જૈનાચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી, યોગતિલકસૂરીશ્વરજી, કુલરત્નસૂરીશ્વરજી, પુણ્યપ્રભસૂરીશ્વરજી, હ્રીંન્કારપ્રભસૂરીશ્વરજી, […]
નવસારીના વિરાવળમાંથી કૂટણખાનું ઝડપાયું
મોટા શહેરોમાં ચાલતી કૂટણખાનાની બદી નાના શહેરો બાદ હવે જુદા જુદા ટાઉનમાં પણ પહોંચી ગઇ છે. આવુ જ એક કૂટણખાનું નવસારીમાંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગૃપે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને બે જણાને ઝડપી લીધા હતા. આ ગોરખધંધામાં સંડોવાયેલા અને નવસારીના વિરાવળ માં કૂટણખાનું ચલાવતા એક ગ્રાહક અને એક દલાલને […]