વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા તા. ૨૧ એપ્રીલ થી તા. ૨૭ એપ્રીલ સુધી ચૈત્રી સમૈયાનું આયોજન કરવામાં આવેલ છે. આ ચૈત્રી સમૈયો સંપૂર્ણ ઓનલાઇન રહેશે. ચૈત્રસુદ નોમ (રામનવમી) થી ચૈત્ર સુદ પૂર્ણીમા સુધી ઉજવાનારા સાત દિવસીય ચૈત્રી સમૈયા અંતર્ગત ભક્તિચિંતામણી પરચા પ્રકરણ કથાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે શા.સ્વામી પ્રિયદર્શનદાસજી (પીજ) બિરાજી કથાનું રસપાન કરાવશે. સમગ્ર સમૈયામા આયોજક વડતાલ સંસ્થાના ચેરમેન દેવ પ્રકાશસ્વામી હોવાનું કોઠારી ડો.સંતવલ્લભદાસજી એ જણાવ્યું હતું. કથાનો સમય સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ તથા બોપરે ૩.૩૦ થી૬.૩૦ રાખવામાં આવેલ છે. સમૈયાના તમામ કાર્યક્રમો ઓનલાઇન હોય હરિભક્તોએ ઘરબેઠા ટીવી પર કથા દર્શન તેમજ ઉત્સવ મનાવવા શ્યામવલ્લભસ્વામીએ જણાવ્યું છે.
Related Articles
ગુજરાત પર મંડરાઇ રહ્યો છે વાવાઝોડાનો ખતરો
અરબી સમુદ્રમાં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠા નજીકથી પસાર થશે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન સ્થિતિ ડીપ ડિપ્રેશનમાં સઘન બની છે અને શનિવારે સવાર સુધીમાં તે વાવાઝોડામાં ફેરવાશે અને શનિવારે રાત સુધીમાં અતિ તીવ્ર વાવાઝોડું બનશે. 16-19 મે દરમ્યાન તે અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને […]
વાપીની યુવતીનું અપહરણ કરી ખંડણી માંગનારી ગેંગ ઝડપાઇ
રૂપિયા 30 લાખની ખંડણી માટે વાપી ટાઉન વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરાયું હતું. યુવતીના પિતાને ફોન દ્વારા ખંડણી માગી ઉદવાડા ખાતે આપી જવા જણાવાયું હતું. ટાઉન પોલીસને આ મામલે જાણ કરાતા ટાઉન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. જેમાં પોલીસે હાઈવે પર બાઈકનો ફિલ્મીઢબે પીછો કરી એક પણ રૂપિયો આપ્યા વગર યુવતીને અપહરણકર્તાઓની […]
સુરતના આ વેપારીએ સોમનાથ મંદિર માટે કર્યું 30 કરોડનું દાન
વડાપ્રધાન (PM) અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે યાત્રિકોને સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા ચાર પ્રકલ્પો સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, અને જૂના સોમનાથ મંદિર જીર્ણોધ્ધાર નવીનીકરણનું વર્ચ્યુઅલ સમારંભમાં લોકાર્પણ તેમજ શ્રી પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે […]